Monday, May 19, 2025
Google search engine
HomeNewsNationalJDU-RJD વચ્ચેનો તણાવ ખતમ! તેજસ્વી સાથેની બેઠકમાં નીતિશ કુમારે લીધો આ નિર્ણય

JDU-RJD વચ્ચેનો તણાવ ખતમ! તેજસ્વી સાથેની બેઠકમાં નીતિશ કુમારે લીધો આ નિર્ણય

RJD અને JDUની ગઠબંધન સરકાર નવી-નવી બની હતા. વાત ગયા વર્ષની છે. એક દિવસ કેબિનેટની બેઠક બોલાવવામાં આવી. બેઠકમાં ચા અને પકોડાનો રાઉન્ડ ચાલ્યો. બેઠક પૂરી થયા બાદ તમામ મંત્રીઓ રૂમમાંથી બહાર નીકળ્યા. બહાર મીડિયાકર્મીઓ રાહ જોઈ રહ્યા હતા. નીતિશ કુમારના એક નજીકના મંત્રીએ તેજસ્વી યાદવ વિરુદ્ધ નિવેદન આપ્યું. આ નિવેદન પર હોબાળો મચી ગયો. વાત તેજસ્વી યાદવ સુધી પણ પહોંચી. તેમણે ફોન કરીને મુખ્યમંત્રી નીતીશ કુમારને આ અંગે જાણકારી આપી.

ત્યારબાદ નીતીશ કુમારે મંત્રીજીને ફોન કર્યો અને તેમને તેજસ્વી યાદવને મળીને માફી માંગવા જણાવ્યું. મંત્રીજી ચોંકી ગયા અને પરેશાન થઈ ગયા, કારણ કે તેમણે તો નીતિશ કુમારના સમર્થનમાં નિવેદન આપ્યું હતું. પરંતુ અહીં મામલો ઉલટો પડી ગયો. તેઓ મુખ્યમંત્રીના આદેશને ટાળી શક્યા નહોતા અને અંતે તેમને તેજસ્વી યાદવને મળવું પડ્યું અને માફી માંગવી પડી. આ કહાનીનો ઉલ્લેખ એટલા માટે કરવામાં આવ્યો છે કારણ કે રાજકારણમાં ઘણી વખત દેખાય છે, તેવું હોતું નથી. આ વખતે પણ એ જ કહાનીનું પુનરાવર્તન થયું.

JDU-RJD વચ્ચે તણાવના સમાચારનો અંત આવ્યો
જેડીયુ અને આરજેડી વચ્ચે ક્યાંય કોઈ અણબનાવ નથી. લાલુ યાદવ અને નીતિશ કુમાર વચ્ચે બધુ બરાબર ચાલી રહ્યું છે. બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ પણ વિદેશથી પરત આવ્યા છે. આજે મુખ્યમંત્રી નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ એકસાથે વિધાનસભા પહોંચ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી જેડીયુ અને આરજેડી વચ્ચે તણાવ ચાલી રહ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા હતા. આ પ્રકારની ચર્ચાએ પણ જોર પકડ્યું હતું કે નીતિશ કુમાર ફરીથી પક્ષ બદલી શકે છે. કેટલાક લોકોએ તેમના ભાજપમાં જોડાવાની વાત પણ શરૂ કરી દીધી હતી.

આરજેડીના કેટલાક નેતાઓ આપી રહ્યા હતા વિચિત્ર નિવેદનો
રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ સાથે નીતિશ કુમારની મુલાકાતે આ સમાચારને વધુ હવા આપી હતી. જે બાદ આરજેડીના કેટલાક નેતાઓએ જેડીયુ વિરુદ્ધ મોરચો ખોલ્યો હતો. તેજસ્વી યાદવ વિદેશમાં હતા અને આરજેડીના કેટલાક નેતાઓ વિચિત્ર નિવેદનો આપી રહ્યા હતા. કોઈને નહોતું સમજાતું કે આખરે શું થઈ રહ્યું છે?

આજે સ્પષ્ટ થઈ ગયું ચિત્ર
લાલુ અને તેજસ્વીની નજીકના આરજેડીના એમએલસી સુનિલ સિંહે તો મુખ્યમંત્રી નીતિશ કુમાર વિરુદ્ધ અભિયાન પણ ખોલી દીધું હતું. રાબડી દેવી પાસે રાખડી બંધાવવાને કારણે લોકો તેમને લાલુ યાદવના સાળા પણ કહે છે. આરોપ લગાવનારાઓ તો ત્યાં સુધી કહેતા હતા કે આ બધું તેજસ્વી યાદનના ઈશારે થઈ રહ્યું હશે. જેડીયુ અને આરજેડી વચ્ચે આગ લગાવવાનો ભાજપને મોકો મળ્યો હતો. પરંતુ આજે સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ ગયું.

નિવેદનો આપનારા નેતાઓનો લીધો ઉધડો
વિદેશથી પરત ફર્યા બાદ તેજસ્વી યાદવ અને નીતિશ કુમાર વચ્ચે ફોન પર જ લાંબી વાતચીત થઈ ગઈ. એવું નક્કી કરવામાં આવ્યું છે કે નીતિશ કુમાર પોતે જ નિંદાજનક નિવેદનો આપનારા નેતાઓની ક્લાસ લેશે. તે પણ બધાની સામે. રાજકીય સંદેશ આપવા માટે આવું કરવાનું નક્કી કરાયું. નીતીશ કુમારે બેઠકમાં લાલુ યાદવ અને તેજસ્વી યાદવના નજીકના નેતા સુનીલ સિંહ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સુનીલ પર ભાજપ સાથે સાંઠગાંઠનો આરોપ લગાવ્યો હતો.

નીતિશ કુમારે લીધો છે આ નિર્ણય
નીતિશ કુમાર પહેલા જ આ જાહેરાત કરી ચૂક્યા છે કે 2025ની બિહાર વિધાનસભાની ચૂંટણી તેજસ્વી યાદવના નેતૃત્વમાં લડવામાં આવશે. નીતિશ કુમારે તેજસ્વી યાદવને પોતાના રાજકીય ઉત્તરાધિકારી જાહેર કર્યા છે. આ ઉપરાંત નીતિશ કુમારે વધુ એક નિર્ણય લીધો છે. તેજસ્વી યાદવ સાથેની મીટિંગમાં નક્કી થયું કે બધા એકસાથે બેંગ્લોર જશે. નીતિશ કુમાર, લાલુ યાદવ, તેજસ્વી યાદવ, લલન સિંહ, મનોજ ઝા અને સંજય ઝા ચાર્ટર્ડ પ્લેનમાં પટનાથી એકસાથે બેંગલુરુ પહોંચશે. કોંગ્રેસ પાર્ટીએ 17 જુલાઈએ બેંગલુરુમાં વિપક્ષી નેતાઓ માટે ડિનર પાર્ટીનું આયોજન કર્યું છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular