Wednesday, June 11, 2025
Google search engine
HomeNewsNationalયમુનામાં ઝેર ભેળવ્યાના કેજરીવાલના દાવાને જલ બોર્ડે ફગાવ્યો

યમુનામાં ઝેર ભેળવ્યાના કેજરીવાલના દાવાને જલ બોર્ડે ફગાવ્યો

નવી દિલ્હીઃ યમુનાના પાણીની ગુણવત્તાને લઈને જારી વાકયુદ્ધની વચ્ચે દિલ્હી જલ બોર્ડનાં CEO શિલ્પા શિંદેએ આપ પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલના એ દાવાનું ખંડન કર્યું છે કે હરિયાણા સરકારે નદીમાં ઝેર ભેળવ્યું છે. શિલ્પા શિંદેએ દિલ્હીના મુખ્ય સચિવ ધર્મેન્દ્રને લખેલા પત્રમાં આરોપોને ખોટા અને આધાર વગરના અને ભ્રામક ગણાવતાં એ દાવાને ફગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે આ પ્રકારના દાવા આંતરરાષ્ટ્રીય સંબંધો અને જનતાના વિશ્વાસને ઠેસ પહોંચાડી શકે છે.

આ પહેલાં આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે હરિયાણા સરકાર પર યમુનામાં ઝેર મિલાવી રહ્યા હોવાનો દાવો કર્યો છે. કેજરીવાલનો આરોપ કર્યો હતો કે દિલ્હીની જનતા ભાજપને મત નથી આપી રહી એટલા માટે ભાજપ સરકારે આવું પગલું ભર્યું છે. જ્યારે આ મામલે હરિયાણાના CM નાયબ સિંહ સૈનીએ પલટવાર કરતાં કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલની ટેવ એવી છે કે આરોપ લગાવો અને ભાગી જાઓ. કેજરીવાલે ખુદ 28 ડ્રેઇન્સ યમુનામાં નાખ્યા અને વિચાર્યું છે કે હરિયાણા પર આરોપ લગાવીને બચી જાઉં. આ મામલે દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ પણ સોશિયલ મીડિયામાં પ્રતિક્રિયા આપીને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.

ભાજપ કરશે માનહાનિનો કેસ

હરિયાણા સરકાર કેજરીવાલના પાણીમાં ઝેર મિલાવ્યાના દાવા પર તેમના આરોપ માટે કેસ દાખલ કરશે. તેમની પાર્ટી ચૂંટણી પંચનો દાવો પણ ખટખટાવશે, એમ તેમણે સૈનીએ કહ્યું હતું.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular