Sunday, June 29, 2025
Google search engine
HomeNewsGujaratજળયાત્રા સાથે શરૂ થઈ રથયાત્રાની ભવ્ય તૈયારીઓ

જળયાત્રા સાથે શરૂ થઈ રથયાત્રાની ભવ્ય તૈયારીઓ

અમદાવાદ: શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિરના પ્રાંગણમાંથી રથયાત્રા પહેલાં શનિવારના રોજ જળયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.   અષાઢી બીજે ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલાં યોજાતા પ્રસંગોની શરૂઆત થઈ ગઈ છે.

22મી જૂન શનિવારની સવારે જગન્નાથ મંદિરથી સાબરમતી નદીના તટ પર આવેલા સોમનાથ ભુદરના આરે જળ ભરવા એક યાત્રા નીકળી હતી. શણગારેલા 108 કળશ સાથે નીકળેલી યાત્રા મંદિરેથી નીકળી નદી કાંઠે ગઈ જ્યાં પૂજન વિધી કરવામાં આવી હતી. રથયાત્રા જેવી જ ધામધૂમથી નીકળેલી જળયાત્રામાં શણગારેલા ગજરાજ, ઘોડા સાથે બગી, કળશ સાથે ભક્તો , ભજન મંડળીઓ જેવા અનેક ‘કલરફુલ’ આકર્ષક દ્રશ્યો પૂજા વિધિમાં જોવા મળ્યા હતા. જળયાત્રામાં જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ સાથે પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતીન પટેલ સહિત અનેક મહાનુભાવો, સાધુ સંતો, ભક્તો જોડાયા હતા.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular