Saturday, May 17, 2025
Google search engine
HomeNewsGujaratઇટ્રા દ્વારા ક્ષય જાગૃતિ રેલી અને નિક્ષય શપથનું આયોજન

ઇટ્રા દ્વારા ક્ષય જાગૃતિ રેલી અને નિક્ષય શપથનું આયોજન

જામનગર: ‘ઇટ્રા’(Institute of Teaching and Research in Ayurverda) દ્વારા શહેરમાં એક ખાસ પ્રકલ્પ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત સરકારના 100 દિવસ ટી.બી.નાબૂદિના પ્રકલ્પ જાગૃતિ અભિયાનની ઉજવણી અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.25 જાન્યુઆરીના રોજ સંસ્થાના વિદ્યાર્થીઓ-તબીબો અને કર્મચારીઓ દ્વારા ટી.બી. નાબૂદી માટે નિક્ષય શપથ અને ક્ષય અંગે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.ઇટ્રાના ધન્વંતરી મંદિર ખાતેથી શપથ બાદ રેલી સી.ટી. બી ડિવિઝન પોલીસ સ્ટેશન સામેના કેમ્પસ સુધી યોજવામાં આવી હતી.

સવારે 10-00 થી 11-00 સુધી આ કાર્યક્રમમાં ટી.બી. મુક્ત ભારત રાષ્ટ્ર માટે સૂત્રો પોકારવામાં આવ્યાં હતાં અને ટી.બી. સંબંધી જાગૃતિનું સાહિત્ય પણ પ્રદર્શિત કરવામાં આવ્યું હતું.આ તકે ઈટ્રાના ઈ. નિયામક પ્રો. બી. જે. પાટગિરી, નાયબ નિયામક ડો. જોબન મોઢા, ડિન સહિતના કર્મચારીઓ તથા જામનગર સિટી ટી. બી. ઓફિસર ડો. પલક ગણાત્રા અને સુપરવાઇઝર હાર્દિક પુરોહિત સહિતના અન્ય ટી. બી.ના કર્મચારીગણ જોડાયા હતા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular