Saturday, June 28, 2025
Google search engine
HomeNewsNationalરામેશ્વરમ કાફે બ્લાસ્ટ પાછળ ISISનું કનેક્શન સામે આવ્યું

રામેશ્વરમ કાફે બ્લાસ્ટ પાછળ ISISનું કનેક્શન સામે આવ્યું

કર્ણાટકની રાજધાની બેંગલુરુના રામેશ્વરમ કેફે બોમ્બ બ્લાસ્ટ કેસમાં મોટો ખુલાસો થયો છે. કાફે બ્લાસ્ટના આરોપી હુમલાખોરનું ISIS સાથે કનેક્શન સામે આવ્યું છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આતંકવાદી સંગઠનોના નિશાના પર હિન્દુ નેતાઓ હતા. ચાર વર્ષ પહેલા પણ બ્લાસ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ટાર્ગેટ ચૂકી ગયો હતો. બ્લાસ્ટ કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં અબ્દુલ મતીન, મુસાફિર હુસૈન અને સૈયદ અલી હજુ ફરાર છે. પોલીસ અને NIAને શંકા છે કે તેણે બેંગલુરુમાં બ્લાસ્ટ કરાવ્યો છે.

પોલીસને માહિતી મળી છે કે શાંતિ ભંગ કરવાના ઈરાદાથી અને બેંગલુરુમાં આતંક મચાવવાના ષડયંત્રના ભાગરૂપે બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. આ વિસ્ફોટ હિન્દુ નેતાઓને નિશાન બનાવીને કરવામાં આવ્યો હોવાની આશંકા છે. પોલીસે ચાર વર્ષ પહેલા સુદ્દાગુંટેપલ્યામાં ત્રણેય સામે ગુનો નોંધ્યો હતો.

બેંગલુરુના રામેશ્વરમ કાફેમાં થયેલા વિસ્ફોટનો આરોપી હુમલાખોર હજુ સુધી મળ્યો નથી, પરંતુ એક પછી એક કડીઓ સામે આવી રહી છે અને તેણે કઈ દિશામાં મુસાફરી કરી હતી તેની માહિતી મળી રહી છે. ખાસ કરીને NIAને બોમ્બ બ્લાસ્ટ કરનાર વ્યક્તિ વિશે ગુપ્ત માહિતી મળી હતી. આરોપીએ તેની સાથે સંપર્ક કર્યો હતો.

હુમલાખોરનું આતંકવાદી સંગઠનો સાથે જોડાણ

NIA ગઈકાલે સવારે 4 વાગ્યે બેલ્લારીમાં પ્રવેશી હતી. ટાંકી બંદુ રોડના રહેવાસી શબ્બીરની ધરપકડ કરવામાં આવી હતી. તેને બેંગલુરુ લાવવામાં આવ્યો અને પૂછપરછ કરવામાં આવી. તોરાગલ્લુ પાસે એક જાણીતી ખાનગી કંપનીમાં કામ કરતો શબ્બીર આતંકીના સંપર્કમાં હોવાનું બહાર આવ્યું છે. એવી શંકા છે કે હુમલાખોરને વધુ ત્રણ લોકોએ મદદ કરી હતી. NIAએ સૈયદ અલી, માસ્ટરમાઇન્ડ અબ્દુલ મતીન અને મુઝફ્ફર હુસૈનની શોધ કરી છે. સૈયદ અલી એક ટેકનિશિયન છે જેણે ડાર્ક વેબ દ્વારા કાચો માલ ભેગો કરીને બોમ્બ બનાવ્યો હોવાની શંકા છે. વિસ્ફોટના દિવસે મુઝફ્ફર બેંગલુરુમાં હતો.

બીજી તરફ રામેશ્વરમ કેફે બોમ્બ બ્લાસ્ટ મામલો વધુ ઘેરો બની રહ્યો છે. NIA અધિકારીઓની એક ટીમ પહેલેથી જ બેલ્લારીમાં છે અને હુમલાખોરની હિલચાલ પર નજર રાખી રહી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular