Sunday, June 29, 2025
Google search engine
HomeNewsInternationalહમાસને કચડવા સુધી યુદ્ધ રહેશે જારીઃ નેતાન્યાહૂ

હમાસને કચડવા સુધી યુદ્ધ રહેશે જારીઃ નેતાન્યાહૂ

તેલ અવિવઃ પાંચ દેશ ઇઝરાયેલ અને હમાસની વચ્ચે હલના યુદ્ધવિરામ સમજૂતીને ચાર દિવસો સુધી વધારવા માટે એક સમજૂતી પર વાટાઘાટ કરી રહ્યા છે, ત્યારે ગાઝામાં યુદ્ધ ફરીથી શરૂ થવાની આશંકા છે. અઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતાન્યાહૂએ કહ્યું હતું કે યુદ્ધ વિરામ વધારવા અને બંધકોને પરત ફરતવા પર પણ હમાસને પૂરી રીતે કચડવા માટે યુદ્ધ જારી રહેશે. જોકે તેમણે આ યુદ્ધ પૂરું કરવા માટે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડનના દબાણનો સામનો કરવો પડી રહ્યો છે. મિડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે કમસે કમ પાંચ દેશો ગાઝા પટ્ટીમાં યુદ્ધવિરામ જારી રાખવા માટે એક સમજૂતીની દિશામાં કામ કરી રહ્યા છે. હમાસે ઘોષણા કરી હતી કે આતંકવાદીઓના કબજાવાળા ત્રણ ઇઝરાયેલના બંધકોનાં મોત થયાં છે.

હમાસ નેતાઓ યુદ્ધ વિરામ આગામી ચાર દિવસ વધારવા અને પેલેસ્ટાઇન કેદીઓના બદલામાં ઇઝરાયેલી બંધકોને છોડવાના પક્ષમાં હતા. ઇઝરાયેલના અધિકારીઓએ પણ આ જોગવાઈની સાથે યુદ્ધવિરામને વધારવા માટે રસ દાખવ્યો હતો કે હમાસ બંધકોને છોડવા માટે સહમત છે.

કતાર, ઇજિપ્ત અને અમેરિકાના અધિકારીઓ 50 દિવસોના યુદ્ધને પૂરું કરવાની દિશામાં એક હંગામી વિસ્તરણ પર હમાસ અને ઇઝરાયેલના નેતાઓ સાથે કામ કરી રહ્યા છે. ઇઝરાયેલના ભૂતપૂર્વ અમેરિકી એમ્બેસેડર માર્ટિન ઇન્ડિકે ટ્વીક કર્યું હતું કે મોટા બદલાવ માટે સમય આવી ગયો છે. નેતાન્યાહૂને હમાસ યુદ્ધમાંથી પરત આવવું પસંદ નથી, પણ બંધકોને સૌપ્રથમ પ્રાથમિકતા આપવાની જાહેર જીદ તેમના હાથ બાંધી દે છે.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular