Monday, July 14, 2025
Google search engine
HomeNewsInternationalરસીની અસર ઘટાડવા સાથે વધુ સંક્રમણ ફેલાવે છે ઓમિક્રોનઃ WHO

રસીની અસર ઘટાડવા સાથે વધુ સંક્રમણ ફેલાવે છે ઓમિક્રોનઃ WHO

જિનિવાઃ કોરોનાનો નવો ઓમિક્રોન વેરિયેન્ટ ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં ઝડપથી પ્રસરી રહ્યો છે. કોરોના વાઇરસના નવા ઓમિક્રોન વેરિયેન્ટ (SARS-CoV-2)નાં લક્ષણો હળવાં દેખાય છે, એ રસીની અસર ઓછી કરે અને અન્ય વેરિયેન્ટ કરતાં વધુ સંકમક છે, એમ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના પ્રાથમિક ડેટા કહે છે. ઓમિક્રોન વેરિયેન્ટ ડેલ્ટા કરતાં વધુ ઝડપથી પ્રસરે છે. આ દક્ષિણ આફ્રિકામાં ડેલ્ટા વેરિયેન્ટ કરતાં ઝડપથી પ્રસરી રહ્યા છે. આ વેરિયેન્ટનો સંક્રમણ દર બહુ જ વધુ છે.

વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ચેતવણી જારી કરતાં કહેવામાં આવ્યું હતું કે ઓમિક્રોન વેરિયેન્ટને લીધે UKમાં મોટી લહેર આવી શકે છે. હાલના ઉપલબ્ધ ડેટા  જોતાં એ સંભાવના છે કે સંક્રમણને મુદ્દે ઓમિક્રોન ડેલ્ટા કરતાં વધુ પ્રસરશે અને એ સામૂહિક સંક્રમિત કરી શકે છે. નવ ડિસેમ્બર સુધીમાં ઓમિક્રોન WHOના છ રિજિયનોમાં- 63 દેશોમાં પહોંચી ચૂક્યો છે. પ્રાથમિક ડેટાના અભાવને જોતાં WHOએ કહ્યું હતું કે ઓમિક્રોન વ્યક્તિને ગંભીર બીમાર કરવામાં સક્ષમ છે અથવા એ રસીના ડોઝની અસરકારકતા ઓછી કરી શકે છે.

વિશ્વભરમાં ઓમિક્રોન વેરિયેન્ટના 1000 કેસો નોંધાયા છે, જેમાં બારતમાં 38 કેસો સામે આવ્યા છે. આ નવા વેરિયેન્ટના લક્ષણો પર સંયુક્ત આરોગ્ય સંસ્થાએ કહ્યું હતું કે કોરોનાના પરીક્ષણ માટે ઉપયોગમાં લેવાતી PCR અને એન્ટિજેન સ્થિત રેપિડ ડાયગ્નોસ્ટિક ટેસ્ટની સત્યતા ઓમિક્રોનથી પ્રભાવિત નહીં થાય.

 

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular