Sunday, June 8, 2025
Google search engine
HomeNewsInternationalકેનેડાએ કોરોના-રસીકરણવાળા લોકો માટે દ્વાર ખોલ્યાં

કેનેડાએ કોરોના-રસીકરણવાળા લોકો માટે દ્વાર ખોલ્યાં

ટોરેન્ટોઃ કેનેડાએ સંપૂર્ણ રીતે કોરોનાની રસી લીધેલા લોકો માટે પોતાની સરહદો ખોલી દીધી છે અને તેમને મંગળવારથી પ્રવાસ કરવાની મંજૂરી આપી દીધી છે. જોકે આ નિર્ણય તાજા આંકડા વૈજ્ઞાનિક પુરાવા અને રોગચાળાની પરિસ્થિતિ પર નિર્ભર છે, એમ દેશની બોર્ડર સર્વિસિસ એજન્સીએ જણાવ્યું હતું. કોરોના રોગચાળાના પ્રારંભના દિવસોથી કેનેડાએ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના પ્રવેશ માટે પ્રતિબંધ મૂક્યો હતો.  જોકે હવે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓએ લાંબી ઇમિગ્રેશન પ્રક્રિયા માટે તૈયાર રહેવું જોઈએ, જેમાં કોરોના રોગચાળા સામે સાવચેતી માટે સ્ક્રીનિંગના ઉપાયોને કારણે ત્રણ કલાક કે વધુનો સમય લાગી શકે છે, એમ ગ્રેટર ટોરંટોએરપોર્ટ ઓથોરિટીએ એક નિવેદનમાં કહ્યું હતું.

અહીં કેનેડામાં પ્રવાસ કરવા માટે સંપૂર્ણ SOP છે.

  • એક પ્રવાસીએ દેશમાં પ્રવેશવા પહેલાં કમસે કમ 14 દિવસ પહેલાં રસી લઈ લીધેલી હોવી જોઈએ અને એનું સર્ટિફિકેટ સાથે રાખવાનું રહેશે.
  • જેતે પ્રવાસી પાસે 72 કલાક પહેલાં કોવિડનો ટેસ્ટ કરાવેલો હોવો જોઈએ.
  • જેતે યાત્રીઓમાં કેનેડામાં પ્રવેશવા પહેલાં કોરોનાનાં લક્ષણો ન હોવા જોઈએ.
  • પ્રવાસી પોતાની વિગતો એપ કે વેબસાઇટના માધ્યમથી વિગતો જમા કરવાની રહેશે, જેમાં રસીકરણનો પુરાવો અને કેનેડામાં આવતાં પહેલાં એક ક્વોરોન્ટિનની યોજના પણ સામેલ હોવી જોઈએ.
  • પ્રવાસીઓ ઇમિગ્રેશન અને રેફ્યુજી પ્રોટેક્શન, એક્ટ હેઠળ સ્વીકાર્ય છે.

વળી, કેનેડામાં પ્રવેશતાં પ્રવાસીએ કોરોનાની ગાઇડલાઇન્સનું ફરજિયાતપણે પાલન કરવાનું રહેશે.   

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular