Friday, June 20, 2025
Google search engine
HomeNewsInternationalભારત-કેનેડા વચ્ચે ટેન્શનઃ કેનેડાએ 41 ડિપ્લોમેટને પરત બોલાવ્યા

ભારત-કેનેડા વચ્ચે ટેન્શનઃ કેનેડાએ 41 ડિપ્લોમેટને પરત બોલાવ્યા

ઓટાવાઃ ભારત અને કેનેડાની વચ્ચે વણસેલા સંબંધોમાં સુધારો નથી થયો. હવે કેનેડાએ ભારતથી પોતાના 41 ડિપ્લોમેટને પરત બોલાવી લીધા છે. કેનેડાના ભૂતપૂર્વ વિદેશપ્રધાન મેલની જોલીએ કહ્યું હતું કે કેનેડા જવાબી પગલું નહીં ભરે.

ભારતે પાછલા મહિને કેનેડાને પોતાની રાજકીય હાજરી ઓછી કરવા નિર્દેશ આપ્યા હતા. આ મામલો 18 જૂને ખાલિસ્તાન ટાઇગર ફોર્સના પ્રમુખ હરદીપ સિંહ નિજ્જરની હત્યા સાથે શરૂ થયો હતો. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત પર નિજ્જરની હત્યાનો આરોપ મૂક્યો હતો. જે પછી બંને દેશો વચ્ચે ટેન્શન પ્રવર્તી રહ્યું છે. જોકે ભારતે નિજ્જરની હત્યામાં કોઈ પણ પ્રકારનો હાથ હોવાનો ઇનકાર કર્યો હતો. ભારતે નિજ્જરને આતંકવાદીની શ્રેણીમાં રાખ્યો હતો.

જોલીનું કહેવું છે કે ભારતે શુક્રવાર સુધી ડિપ્લોમેટને સત્તાવાર સ્થિતિ રદ કરવાની ધમકી આપી હતી. તેમણે સંવાદદાતા સંમેલનમાં જણાવ્યું હતું કે ભારત સરકારના વલણને જોતાં ડિપ્લોમેટને કાઢવાની વ્યવસ્થા કરવામાં આવી છે. કેનેડાના હવે ભારતમાં 21 ડિપ્લોમેટ છે. 41 ડિપ્લોમેટ અહીંથી જઈ ચૂક્યા છે અને તેમના પર નિર્ભર 42 લોકો પણ ભારતમાં જઈ ચૂક્યા છે.

કેનેડાના ઇમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે જણાવ્યા મુજબડિપ્લોમેટ્સનો અહીંથી જવાનો અર્થ એ છે કે ઇમિગ્રશન પર કામ કરતા કર્મચારીઓની છટણી કરવી પડશે. કેનેડાની પાંચ ટકા વસતિ આશરે 20 લાખ કેનેડિયન નાગરિક ભારતીય મૂળના છે. કેનેડામાં વિશ્વભરમાંથી સૌથિ વધુ સ્ટુડન્સ છે. ભારતમાં કેનેડાના કુલ 62 ડિપ્લોમેટ છે.

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular