Sunday, June 29, 2025
Google search engine
HomeNewsInternationalઅમેરિકામાં કોરોનાને હરાવવા શ્રીમંતો, વૈજ્ઞાનિકો સંગઠિત થયા

અમેરિકામાં કોરોનાને હરાવવા શ્રીમંતો, વૈજ્ઞાનિકો સંગઠિત થયા

વોશિંગ્ટનઃ સમગ્ર વિશ્વ હાલ કોરોના વાઈરસ રોગચાળા સામે સંગઠિત થઈને લડી રહ્યું છે. આ જંગમાં અમેરિકાના વૈજ્ઞાનિકોનું એક ગુપ્ત સમૂહ પણ કામ કરી રહ્યું છે. આ સમૂહમાં વૈજ્ઞાનિકો, અબજોપતિઓ અને ઉદ્યોગ જગતના પ્રમુખો એક જ છત નીચે આવી ગયા છે. તેમણે ગુપ્ત રીતે વ્હાઈટ હાઉસને તેમની ઈચ્છા વ્યક્ત કરી દીધી છે. વૈજ્ઞાનિકોના આ સમૂહને અબજોપતિઓ ફંડિંગ કરી રહ્યા છે.

આ ટીમનું નેતૃત્વ 33 વર્ષીય ફિઝિશિયનમાંથી અબજોપતિ બનેલા ટોમ કહિલ કરી રહ્યા છે. ટોમ કહિલ સામાન્ય રીતે લોકોથી દૂર રહેતા વ્યક્તિ છે. બોસ્ટનમાં તે એક સિંગલ બેડરૂમ ધરાવતા મકાનમાં ભાડે રહે છે. તેમની પાસે પહેરવા માટે એક જ સૂટ છે પણ કોવિડ 19ની લડાઈમાં સરકારી નીતિઓને પ્રભાવિત કરવાની તેમની પાસે ભરપૂર ક્ષમતા છે. આ ટીમના લોકોએ તેમના કામને લોકડાઉન નામ આપ્યું છે. મેનહટન પ્રોજેક્ટ સાથે જોડાયેલા લોકો પણ એજ આધાર પર કામ કરી રહ્યા છે જેમ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પરમાણુ બોમ્બ બનાવવા માટે વૈજ્ઞાનિકોએ કર્યું હતું.

મેડિકલ નિષ્ણાંતો ઉપરાંત મેનહટન પ્રોજેક્ટ સાથે જોડાયેલા વૈજ્ઞાનિકોમાં એક 2017ના નોબલ પુરસ્કાર વિજેતા પણ સામેલ છે. જીવ વૈજ્ઞાનિક માઈકલ રોસબાશે કહ્યું કે, તેમાં કોઈ શંકા નથી કે હું સૌથી ઓછો લાયક વ્યક્તિ છું. આ જુથ ફાર્મા કંપનીઓ અને ટ્રમ્પ પ્રશાસન સેતૂ બનાવવાનું કામ કરી રહ્યું છે. આ ઉપરાંત આ ગુપ્ત ટીમનો ઉદેશ્ય તેની શોધ અને વિચારો પણ ટ્રમ્પ પ્રશાસનના નીતિ ઘડવૈયાઓ સુધી પહોંચાડવાનો પણ છે.

ઉલ્લેખનીય છે કે, મેનહટન પ્રોજેક્ટ એ એક ગુપ્ત સંશોધન પ્રોજેક્ટ હતો જે અમેરિકા ડિઝાઇનને મદદ કરવા અને અણુબૉમ્બનું નિર્માણ કરવા માટે બનાવવામાં આવ્યું હતું. આ નાઝી વૈજ્ઞાનિકોની પ્રતિક્રિયામાં બનાવવામાં આવ્યું હતું, જેમણે 1939 માં યુરેનિયમ અણુ વિભાજિત કેવી રીતે શોધ્યું હતું.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular