Thursday, May 22, 2025
Google search engine
HomeNewsInternationalવિક્રમસિંઘેએ શ્રીલંકાના વડા પ્રધાન તરીકે શપથ લીધા

વિક્રમસિંઘેએ શ્રીલંકાના વડા પ્રધાન તરીકે શપથ લીધા

કોલંબોઃ મોટા આર્થિક દેવામાં ડૂબી ગયેલા અને આર્થિક રીતે પાયમાલ થઈ ગયેલા શ્રીલંકાના હિંસાગ્રસ્ત બનેલા રાજકારણમાં આજે એક નવો વળાંક આવ્યો છે. 73 વર્ષીય વિપક્ષી નેતા રાનિલ વિક્રમસિંઘેએ દેશના નવા વડા પ્રધાન તરીકે આજે સાંજે શપથ લીધા છે. દેશના પ્રમુખ ગોતાબાયા રાજપક્ષાએ વિક્રમસિંઘેને વડા પ્રધાન તરીકે નિયુક્ત કર્યા હતા. યૂનાઈટેડ નેશનલ પાર્ટીના વિક્રમસિંઘે અગાઉ ચાર વખત વડા પ્રધાન બની ચૂક્યા હતા. તેઓ પ્રમુખ ગોતાબાયાના ભાઈ મહિન્ડા રાજપક્ષાના અનુગામી બન્યા છે. મહિન્ડાને કોલંબોમાં જનતા દ્વારા હિંસક વિરોધને પગલે પદ પરથી રાજીનામું આપવાની ફરજ પડી છે.

વિક્રમસિંઘેએ હવે સંસદમાં બહુમતી સાબિત કરવાની રહેશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular