Friday, May 16, 2025
Google search engine
HomeNewsInternationalપાકિસ્તાને રાજૌરીમાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુંઃ છ જવાનો જખમી

પાકિસ્તાને રાજૌરીમાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુંઃ છ જવાનો જખમી

જમ્મુઃ વારંવાર પછડાટ ખાધા પછી પણ પાકિસ્તાન એ વાંકી પૂંછડી છે, જે સુધરવાનું નામ નથી લેતું. એક બાજુ વિશ્વ અને દેશ કોરોના સામે જંગ લડી રહ્યું છે ત્યારે બીજી બાજુ પાકિસ્તાની સેના સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહી છે અને ભારતીય સેના અને નિયંત્રણ રેખાથી નજીક રહેલા વિસ્તારોને નિશાન બનાવી રહી છે.  ગયા રવિવારે ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપતાં ત્રણ સૈનિકોનાં મોત અને બે ઘાયલ થયેલા ગુસ્સે ભરાયેલા પાકિસ્તાની સૈનિકોએ ફરી એક વાર રાજૌરી  જિલ્લાના સુદરબની સેક્ટરમાં ભારે ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારમાં છ જવાનો જખમી થવાના અહેવાલ હતા. જોકે તેમ છતાં ભારતના વીર જવાનોએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો.

છ જવાનો જખમી

રાજૌરી જિલ્લાના સુદરબની સેક્ટરમાં પાકિસ્ની સૈનિકોએ ભારતીય સેનાની મુખ્ય ચોકીઓ પર ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારમાં છ જવાન જખમી થયા હતા. જોકે આ જવાનોને તરત ત્યાંથી લઈ જઈને રાજૌરી સેનાની હોસ્પિટલમાં પહોચાડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ત્યાર બાદ ભારતીય જવાનોએ પણ જવાબ આપતાં ગોળીબાર કર્યો હતો. આશરે એક કલાકક આ ગોળીબાર ચાલ્યો હતો, જેમાં પાકિસ્તાની ચોકીઓને પણ ઘણું નુકસાન થયું હતું. ત્યાર બાદ પાકિસ્તાની સેનાએ અચાનક ગોળીબાર બંધ કરી દીધો હતો.  

હીરાનગરમાં ગોળીબાર

પાકિસ્તાની રેન્જરોએ કઠુઆ જિલ્લાના હીરાનગર સેક્ટરના મનયારી-પાનસર ગામની વચ્ચે બુધવારે રાત્રે ગોળીબાર કર્યો હતો. પાકિસ્તાને બિકા ચક ક્ષેત્રથી મોર્ટાર તથા નાનાં હથિયારોથી વડે હુમલો કર્યો હતો. જોકે ભારતી ક્ષેત્રમાં કોઈ નુકસાન નહોતું થયું. આ ગોળીબારનો BSFએ જડબાતોડ જવાબ આપ્યો હતો. આ ક્ષેત્રમાં પાકિસ્તાન પાછલા સાત મહિનાથી સત ગોળીબાર કરી રહ્યું છે, જેનાથી ઘઉંના તૈયાર પાકને પણ નુકસાન થઈ રહ્યું છે.

ઘૂસણખોરની તપાસ માટે સેનાએ કૂતરા છોડ્યા

કૂપવાડા જિલ્લામાં ખરાબ મોસમ છતાં નિયંત્રણ રેખા પર સતત ત્રીજા દિવસે સેનાએ ઘૂસણખોરોની સામે અભિયાન ચાલુ રાખ્યું છે. આ ઘૂસણખોરોને શોધવા માટે સેના કૂતરાઓની મદદ પણ લઈ રહી છે. સેનાએ એલઓસીથી ખીણની અંદરના વિસ્તારોમાં દાખલ થવાના રસ્તાઓ પર વિશેષ નાકા સ્થાપિત કર્યા છે. ઘૂસણખોરો નિયંત્રણ રેખા પર કરીને ચાર કિલોમીટર સુધી આવી ગયા હતા. છ ઘૂસણખોરો હથિયારો લઈને જમગુંડ વિસ્તારમાં ભારે ધુમ્મસ અને હિમપાતનો લાભ લઈને ભારતીય સરહમાં દાખલ થઈ ગયા હતા. આ વિસ્તાર રેશવારી અને જુરહામાની વચ્ચે છે. ગુગલડારમાં સેનાએ ઘૂસણખોરોને જોતાં આત્મસમર્પણની ચેતવણી આપી હતી. જોકે આતંકવાદીઓએ જવાનો પર ફાયરિંગ કરતાં ગુલામ કાશ્મીર બાજુ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પણ જવાનો ત્વરિત કાર્યવાહી કરીને તેમને અથડામણમાં વ્યસ્ત રાખ્યા હતા. બુધવારે સાંજે પાંચ વાગ્યે આતંકવાદીઓએ છેલ્લી ગોળીઓ ચલાવી હતી. ત્યાર બાદ તેમની તરફથી કોઈ ફાયર નથી કરવામાં આવ્યું.

આતંકવાદીઓ ઘૂસણખોરી નહીં કરી શકે

આતંકવાદીઓના બચવા માટેના બધા રસ્તા બંધ કરતા આવુરા, કુમકાડી, જુરહામા, સફાવાળી, હયહામા સહિત પૂરા વિસ્તારને ઘેરાવ કરવામાં આવ્યો છે. આ અભિયાનમાં સેનાની 41 RR અને 57 RR સિવાય 160 TA અને SOG કૂપવાડાના જવાન હિસ્સો બન્યા હતા. જ્યાં આતંકવાદી છુપાયા છે. ત્યાં મોસમ બહુ ખરાબ છે. આ વિસ્તારમાં ગાઢું જંગલ  અને એક નાળું છે. જવાનો સાવધાની સાથે આગળ વધી રહ્યા છે. આતંકવાદીઓને ટૂંકક સમયમાં જલદી પકડી લેવામાં આવશે અથવા તેમને ઠાર કરવામાં આવશે. જોકે તેઓ ખીણના અંતરિયાળ વિસ્તારોમાં નહીં આવી શકે.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular