Friday, June 20, 2025
Google search engine
HomeNewsInternationalપાકિસ્તાને કોરોનાને લગતા બધા નિયંત્રણો દૂર કર્યા

પાકિસ્તાને કોરોનાને લગતા બધા નિયંત્રણો દૂર કર્યા

ઈસ્લામાબાદઃ પાકિસ્તાન સરકારે કોરોનાવાઈરસ ચેપી બીમારી સંબંધિત બધા નિયંત્રણોને ઉઠાવી લીધા છે, જે તેણે દેશભરમાં લાગુ કર્યા હતા. સરકારનું કહેવું છે કે દેશમાંથી આ રોગચાળો નાબૂદ થવાને આરે આવી ગયો છે.

આયોજન અને વિકાસ ખાતાના પ્રધાન અસદ ઉમરે પત્રકાર પરિષદમાં કહ્યું કે અમે કોરોનાને લગતા તમામ નિયંત્રણોને હટાવી દેવાનો નિર્ણય લીધો છે. પછી એ લગ્ન સમારંભોને લગતા હોય, ઈન્ડોર જમણવારને લગતા હોય, વિવિધ બજારોને લગતા હોય – તમામનો અંત લાવી દીધો છે. જોકે જે લોકોએ કોરોના-વિરોધી રસી નહીં લીધી હોય એ બધાય માટે નિયંત્રણો ચાલુ રહેશે. અસદ ઉમર કોરોના વિરોધી નેશનલ કમાન્ડ એન્ડ ઓપરેશન સેન્ટરના વડા પણ છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular