Wednesday, June 11, 2025
Google search engine
HomeNewsInternationalપાકિસ્તાનઃ બસમાં ભીષણ આગ લાગતાં 17નાં મોત

પાકિસ્તાનઃ બસમાં ભીષણ આગ લાગતાં 17નાં મોત

કરાચીઃ પાકિસ્તાનમાં ગઈ કાલે એક દુર્ઘટનામાં બસમાં ભીષણ આગ લાગી ગઈ હતી. જેથી આ બસમાં સવાર 17 લોકોનાં મોત થયાં હતાં. આ દુર્ઘટના કરાચીની નજીક નૂરિયાબાદમાં થઈ હતી. પાકિસ્તાનના અધિકારીઓએ જણાવ્યું હતું કે બુધવારે સાંજે ખેરપુર નાથ શાહ ક્ષેત્રમાં બસ બળીને ખાખ થઈ હતી. આ બસમાં સવાર 17 લોકોનાં મોત થયાં હતાં અને 20 લોકો ઘાયલ થયા હતા.

આ બસ ઇન્ટરસિટીની હતી. આ બસ 50થી વધુ પૂરપીડિતોને લઈને જવાના પ્રયાસમાં હતી. તેઓ અત્યાર સુધી અહીં હંગામી આવાસમાં રહી રહ્યા હતા. એ શેલ્ટર કરાચીમાં સ્થિત છે. બધા પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. આ દુર્ઘટના નૂરિયાબાદની નજીક M-9 મોટરવેની પાસે બની હતી. આ બસમાં અચાનક આગ લાગી હતી. આ બસમાં ઘાયલ થયેલા લોકોની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

આ દુર્ઘટનાની તપાસ પાકિસ્તાની પોલીસ કરી રહી છે. આ અકસ્માતમાં  મોતનો આંકડો હજી પણ વધે એવી શક્યતા છે. આ બસ દુર્ઘટનામાં થયેલા મોતોમાં મોટા ભાગનાં બાળકો છે. આ અકસ્માતમાં 12 બાળકોનાં મોત થયાં છે. આ બસમાં સવાર અનેક લોકો એક ગામના રહેવાસી હોવાની શક્યતા છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular