Wednesday, May 21, 2025
Google search engine
HomeNewsInternationalભારતમાં કોરોનાનો ફક્ત એક વેરિયેન્ટ જ ચિંતાનું સબબઃ WHO

ભારતમાં કોરોનાનો ફક્ત એક વેરિયેન્ટ જ ચિંતાનું સબબઃ WHO

જીનિવાઃ WHOએ કહ્યું હતું કે ભારતમાં મળેલા કોવિડ-19ના ડેલ્ટા સંસ્કરણનો માત્ર એક સ્ટ્રેન હવે ચિંતાજનક છે, જ્યારે સંસ્થાએ બે અન્ય સ્ટ્રેનને ડાઉનગ્રેડ કરી દીધા છે. વાઇરસના B.1.617ના સંસ્કરણ- જેણે ભારતના વિસ્ફોટક પ્રકોપ માટે આંશિક રૂપે દોષી ઠેરાવવામાં આવ્યા છે, એ ટ્રિપલ મ્યુટન્ટ વેરિયેન્ટ સંસ્કરણ ગણાવ્યા છે, કેમ કે એ ત્રણ પ્રકારમાં વિભાજિત કર્યા છે.

UNની આરોગ્ય એજન્સીએ ગયા મહિનાના તણાવને ચિંતાનો એક પ્રકાર- વેરિયન્ટ ઓફ કન્સર્ન ઘોષિત કર્યો હતો, પણ મંગળવારે તેણે આ વેરિયન્ટમાંથી માત્ર એકને ચિંતાનું કારણ ગણાવ્યો હતો. સંસ્થાએ સાપ્તાહિક રોગચાળાના અંકમાં કહ્યું હતું કે એ સ્પષ્ટ છે કે હાલમાં વધુમાં વધુ જાહેર આરોગ્ય માટે કોરોનાના B.1.617.2 વેરિયેન્ટ જોખમી છે, જ્યારે કે અન્ય વેરિયેન્ટ ઓછા સંક્રમક હોય છે.

B.1.617.2 વેરિયેન્ટ એક ચિંતાનો પ્રકાર છે, જે અન્ય ત્રણ પ્રકારના વેરિયેન્ટની તુલનામાં વધુ ખતરનાક જોવામાં આવ્યો છે, કેમ કે એ વધુ સંક્રમક, ઘાતક છે અથવા કેટલાક રસી સુરક્ષા પ્રાપ્ત કરવાની ક્ષમતા રાખે છે. સંયુક્ત રાષ્ટ્રની સંસ્થાએ સોમવારે વિવિધ દેશોના વેરિયેન્ટને ગ્રીક લેટર્સ ઘોષિત કર્યા હતા. WHOએ ભારતીય કોરોનાના વેરિયેન્ટને ડેલ્ટા નામ આપ્યું હતું.     

સંયુક્ત રાષ્ટ્રની એજન્સીએ કહ્યું હતું કે અમે જેતે વેરિયન્ટના સંક્રમણ અને આ વેરિયેન્ટ સાથે સંકળાયેલા દેશોના વધતા જતા અહેવાલોનું નિરીક્ષણ કરવાનું ચાલુ રાખીશું.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular