Sunday, May 25, 2025
Google search engine
HomeNewsInternationalનો લોકડાઉન, છતાં ય કોરોનાથી બચવા સિંગાપોરે શું કર્યું?

નો લોકડાઉન, છતાં ય કોરોનાથી બચવા સિંગાપોરે શું કર્યું?

સિંગાપોરઃ દુનિયાઆખીમાં સિંગાપોર જ એક એવો દેશ જ્યાં અત્યાર સુધી લોકડાઉન નથી કરવામાં આવ્યું. અત્યાર સુધીમાં સિંગાપોરમાં કોરોનાના કુલ 266 કેસો છે, પરંતુ અહીં કોરોનાને લીધે હજુ સુધી ફક્ત બે જ મૃત્યુ થયા છે.

કોરોનાનો ખતરો હોવા છતાં ય સિંગાપોર કઇ રીતે પોતાને એમાંથી બચાવી શક્યું એ વિશ્વના બીજા દેશોએ સમજવા જેવું છે.

વિશ્વમાં સૌથી કોરોનાના સૌથી ઓછો ચેપગ્રસ્ત દર સિંગાપોરમાં છે, કેમ કે એ ભૂતકાળના અનુભવથી પહેલાં સજાગ થઈ ગયો હતો. 2002-03ના વર્ષમાં સાર્સ રોગ ફાટી નીકળ્યો હતો.

એ ભૂતકાળના અનુભવથી દેશ જાણતો હતો કે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોરોનાની મહામારી માટે તૈયાર નથી એટલે અહીં વર્ષો પહેલાં આઇસોલેશન હોસ્પિટલો બાંધવામાં આવી. આ ઉપરાંત નેગેટિવ પ્રેશર રૂમ્સ તૈયાર કરવામાં આવ્યા હતા અને એને માટે કાયદો બનાવવામાં આવ્યો હતો.

વિશ્વને 31 ડિસેમ્બરે જ્યારે જાણ થઈ કે ચીનમાં કોરોના વાઇરસના પહેલો કેસ સામે આવ્યો, ત્યારે સિંગાપોરે આ મહામારી સામે તૈયારી કરવા માંડી અને જ્યારે WHOએ જાન્યુઆરીના અંતમાં જાહેર આરોગ્ય કટોકટી (પબ્લિક હેલ્થ ઇમર્જન્સી) જાહેર કરી ત્યારે સિંગાપોર પહેલેથી એ માટે તૈયાર હતું. ફેબ્રુઆરીમાં સિંગાપોરને આ વાઇરસ વિશે સ્પષ્ટપણે સમજાઈ ગયું કે આ વાઇરસથી આરોગ્ય, સામાજિક અને આર્થિક ગંભીર પરિણામો આવવાનાં છે. આપણે જાણીએ જ છીએ કે ચીનમાં શું બન્યું છે, આ વાઇરસે દેશના 1.40 અબજ લોકોને ઘૂંટણિયે પાડી દીધા હતા.

તાઇવાન, હોંગકોંગ, દક્ષિણ કોરિયા  સહિત એશિયાના બાકીના દેશો સ્પષ્ટપણે ગભરાઈ ગયા હતા અને પાણી પહેલાં પાળ બાંધતા ડરતા હતા કે આ વાઇરસથી બહુ-બહુ તો શું થશે અથવા શું થઈ શકે છે અથવા અસમંજસમાં હતા. આ ઉપરાંત વિશ્વના વિકસિત દેશો પણ આટલી મોટી મહામારી સામે તૈયાર નહોતા અથવા તેમણે પણ આ મહામારીને નજરઅંદાજ કરી દીધી હતી.સિંગાપોર શરૂઆતથી જ તકેદારી રાખીને જે લોકોના કેસ પોઝિટિવ આવે તેઓ સમુદાયમાં પાછા ના જાય એનું ધ્યાન રાખ્યું, ચીને પણ આ નહોતું કર્યું. સિંગાપોરે જ્યાં સુધી વ્યક્તિમાંથી વાઇરસથી એકદમ સ્વસ્થ ના થાય ત્યાં સુધી તેની સંભાળ લીધી. આ ઉપરાંત જે વ્યક્તિઓને ચેપ (શરૂઆતમાં) લાગ્યો હોય એ લોકોને હોસ્પિટલોમાં જ રાખ્યા. –શું આપણી પાસે એ માટે પૂરતી જગ્યા છે?

આઇસોલેશન વ્યક્તિનું પણ ફોલોઅપ

વળી, જે લોકોની ઘરે તપાસ કરવા જઈ રહ્યા છો એ તમે ક્યાં જાણો છો કે તેઓ આઇસોલેશનના નિયમોનું બરાબર પાલન કરે છે કે નહીં? શું તમે તેમનો ફોન તપાસ્યો? શું તમે નિયમિત અંતરે તેમની તપાસ કરાવી એ પૂરતું છે? સિંગાપોરમાં જે લોકો નિયમોનું પાલન નથી કરતા એ લોકોને ભારે દંડ ચૂકવવો પડે છે.

સિંગાપોરે કોન્ટેક ટ્રેસિંગ ટીમો તૈયાર કરી. જે લોકો ચેપગ્રસ્ત છે એ વ્યક્તિ જેના પણ સંપર્કમાં આવી હોય, તેનો સંપર્ક કર્યો અને એ લોકોના પ્રારંભિક લક્ષણોને ઓળખાં કાઢ્યાં. એ પછી તેમને લઈને જઈ તેમના ટેસ્ટ કરાવવા માટે વ્યવસ્થા કરી. સિંગાપોર ઘણું ટેસ્ટિંગ કરવામાં ઘણી ઝડપ કરી અને એક ટકકા કરતાં પણ ઓછા કેસો પોઝિટવ નીકળ્યા. આ ઉપરાંત જે લોકોમાં કોરોનાના લક્ષણો ના દેખાયા તેમને પણ ઘરમાં કેવોરોન્ટાઇનમાં રાખ્યા અને હોમ ક્વોરોન્ટાઇનનો ઘણો સખતાઈપૂર્વક અમલ કર્યો. દિવસમાં બે વાર તમને SMS મોકલે અને તમારે એમણે આપેલી લિન્ક પર જવાનું અને તેને ફોનમાં કહેવાનું કે તમે ક્યાં છો?  હવે જો તમે તેમની સાથે છેતરપિંડી કરી તો તમને ભારે દંડ લગાવવામાં આવે.

સતત અને નિયમિત સંદેશવ્યવહાર

સિંગાપોરે તેમના દેશવાસીઓ સાથે સતત સંવાદ કર્યો અને કહ્યું કે જો તમે કોરોના દર્દી સાથે સંપર્કમાં આવ્યા હોવ તો ટેસ્ટ કરાવો અને જો ઘરે ના રહી શકતા હોવ તો માસ્ક પહેરીને બહાર જાઓ. ભીડથી દૂર રહો, ઘરમાં હો ત્યારે પણ એકમેકથી એક મીચર અંત જાળવો. સિંગાપોરે રેસ્ટોરાં અને બાર માલિકોને કહ્યું કે તમે તમારા વેપારમાં ઓછા લોકોને બોલાવો. લોકોને પણ જાણ હતી કે જો લોકડાઉન થશે તો વેપાર અને આવકમાં મોટું નુકસાન થશે. આ ઉપરાંત લોકોને સજાગ અને સતર્ક રહેવા માટે ખૂબ સંદેશવ્યવહાર કર્યો.

સિંગાપોરમાં લોકડાઉન કેમ નહીં

સિંગાપોરે પહેલા સપ્તાહમાં જે લોકો વુહાન અને હુબેઇ પ્રોવિન્સથી આવ્યા હતા એ લોકોની તપાસ કરી. આ ઉપરાંત જે લોકો છેલ્લા 14 દિવસમાં ચીનથી આવ્યા હતા. તેમને તપાસ્યા.

જાન્યુઆરીના અંતે જાહેર હોસ્પિટલોમાં જે લોકો આવ્યા તેમનું સ્ક્રીનિંગ કર્યું છે. આ ઉપરાંત જે લોકો કોરોના વાઇરસગ્રસ્ત દર્દીના સંપર્કમાં આવ્યા તેમની તપાસ કરી.

જો તમે સ્વસ્થ વ્યક્તિ છો અને કોઈ પણ ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવ્યા નથી તો તમને મેડિકલ સર્ટિફિકેટ આપવા સાથે ઘરે મોકલવામાં આવે છે ક તમે ઘરેથી કામ કરો.

યોગ્ય લીડરશિપ જરૂરી

અમારી પાસે કોઈ જાદુઈ જવાબ નથી. અમે અગમચેતીરૂપે ફક્ત અમારી કાર્યક્ષમતાથી અસરકારક કામ કર્યું. કેટલીક બાબતો મોટા દેશોમાં અમલમાં મૂકવી એ વધુ પડકારજનક હોય છે, એ પણ વિવિધ રાજકીય વિચારસરણી ધરાવતા દેશમાં, પણ લોકોને તેમની ફરજો જણાવવાની વધુ જરૂર છે અને સખતાઈપૂર્વક અમલ કરાવવાની જરૂર છે. નહીં તો મોટી ખાનાખરાબી સર્જાશે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular