Thursday, May 22, 2025
Google search engine
HomeNewsInternationalમોદી સ્ટેડિયમમાં વર્લ્ડકપ મેચ વખતે હુમલો કરવાની ખાલિસ્તાની આતંકવાદીની ધમકી

મોદી સ્ટેડિયમમાં વર્લ્ડકપ મેચ વખતે હુમલો કરવાની ખાલિસ્તાની આતંકવાદીની ધમકી

ઓટ્ટાવાઃ કેનેડામાં રહીને ભારત-વિરોધી પ્રવૃત્તિ કરનાર ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નૂનએ ભારત અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નવી ધમકી આપી છે. હરદીપ સિંહ નિજ્જરના કરાયેલા ખાત્મા અને કેનેડિયન વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોના કથિતપણે કરાયેલા અપમાનથી ભડકેલા પન્નૂનએ નવી ધમકીમાં કહ્યું છે કે તે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર પાંચમી ઓક્ટોબરે હુમલો કરવા વિચારી રહ્યો છે. એ દિવસે આ સ્ટેડિયમમાં આઈસીસી ODI વર્લ્ડ કપ-2023માં ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પહેલી મેચ રમાવાની છે.

પન્નૂન દ્વારા ધમકી આપતો એક પ્રી-રેકોર્ડેડ ફોન કોલ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. ગંભીર પરિણામો ભોગવવાની આ ધમકી પન્નૂને પોતે રચેલા શીખ્સ ફોર જસ્ટિસ (એસએફજે) વતી આપી છે.

પન્નૂન ફોન કોલમાં આવું બોલે છેઃ ‘આ ઓક્ટોબરમાં વર્લ્ડ ક્રિકેટ કપની નહીં, પણ વર્લ્ડ ટેરર કપની શરૂઆત થશે. આ મેસેજ છે એસએફજે જનરલ કાઉન્સિલના ગુરપતવંત સિંહ પન્નૂનનો.’

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular