Friday, June 20, 2025
Google search engine
HomeNewsInternationalજયશંકર બ્રિટનનાં ગૃહપ્રધાન પ્રીતિ પટેલને મળ્યા

જયશંકર બ્રિટનનાં ગૃહપ્રધાન પ્રીતિ પટેલને મળ્યા

લંડનઃ વિદેશ પ્રધાન એસ. જયશંકર આજે અહીં બ્રિટનનાં ગૃહ પ્રધાન પ્રીતિ પટેલને મળ્યા હતા અને બંને દેશ વચ્ચે કાયદેસર પ્રવાસને સરળ બનાવવા અને પ્રતિભાશાળી વ્યક્તિઓની આવ-જાને ઉત્તેજન આપવા માટેની એક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. આ સમજૂતી છે – માઈગ્રેશન એન્ડ મોબિલિટી પાર્ટનરશિપ એગ્રીમેન્ટ.

જયશંકરે ટ્વિટરના માધ્યમથી આ જાણકારી આપી છે અને કહ્યું છે કે ભારત-બ્રિટનની વર્ચ્યુઅલ શિખર મંત્રણાની સફળ ફળશ્રુતિ માટે આ સમજૂતી મહત્ત્વની છે. આ સમજૂતીથી ભારત અને બ્રિટન વચ્ચેના સંબંધો વધારે મજબૂત બનશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular