Sunday, June 15, 2025
Google search engine
HomeNewsInternationalLoC પર ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, ભારતીય સેનાએ 7 પાકિસ્તાની ઘૂસણખોરોને ઠાર કર્યા

LoC પર ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, ભારતીય સેનાએ 7 પાકિસ્તાની ઘૂસણખોરોને ઠાર કર્યા

દેશની વિવાદિત બોર્ડર એટલે કે ભારતની પાકિસ્તાનની બોર્ડર પર ફરી વિવાદ સર્જાયો હતો. ખરેખર વાત એમ છે કે ભારતીય સેનાએ 7 પાકિસ્તાની ઘૂસણખોરોને ઠાર કર્યા હતા. જેમા પાકિસ્તાની સેનાના 3 સૈનિકોનો પણ સમાવેશ થાય છે. જો મીડિયામાં રિપોર્ટ્સ પ્રમાણે આ ઘટના 4 ફેબ્રુઆરીની રાત્રે પૂંછ જિલ્લાના કૃષ્ણા ઘાટી પાસે બની હતી. નિયંત્રણ રેખા (LoC) નજીક ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ઘૂસણખોરોનો ભારતીય સેનાની આગળની ચોકી પર હુમલો કરવાની યોજના હતી. પરંતુ આ વાતની બાતમી મળતા ભારતીય સૈન્યને મળતા કાવતરું નિષ્ફળ બનાવ્યું હતું.

ઘૂસણખોરી દરમિયાન માર્યા ગયેલા 7 લોકોમાં પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમ (BAT)ના 3-4 સભ્યો પણ માર્યા ગયા. આ ટીમ સરહદ પારની કામગીરીમાં નિષ્ણાત છે. આ ઘટનામાં 5 આતંકવાદીઓ માર્યા ગયા છે. આમાં BAT ટીમના સભ્યોનો ઉલ્લેખ કર્યો નહોતો. સૂત્રોની જાણકારી પ્રમાણે આ કાર્યવાહીમાં માર્યા ગયેલા આતંકવાદીઓ અલબદ્ર ગ્રુપના હોઈ શકે છે. ઘૂસણખોરીનો આ પ્રયાસ એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ પહેલાંથી જ કહી ચૂક્યા છે કે અમે ભારત સાથેના તમામ મુદ્દાઓ વાતચીતથી ઉકેલીશું. ઘૂસણખોરીનો આ પ્રયાસ એવા સમયે કર્યો છે જ્યારે એક દિવસ પહેલાં 6 ફેબ્રુઆરીએ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે કહ્યું હતું કે અમે ભારત સાથેના તમામ મુદ્દાઓ વાતચીથી ઉકેલીશું. પાકિસ્તાની PMના નિવેદન પછી જ સરકારે જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાને PoKના રાવલકોટમાં રેલી યોજવાની પરવાનગી આપી. બંદૂકો અને AK-47 લહેરાતા હતા. આ રેલીમાં ભારત વિરોધી નારા લગાવવામાં આવ્યા હતા. આમાં હમાસના નેતાઓ પણ હાજર હતા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular