Thursday, June 12, 2025
Google search engine
HomeNewsInternational'ભારતમાં જુલાઈ સુધી રસીની અછત ચાલુ રહેશે'

‘ભારતમાં જુલાઈ સુધી રસીની અછત ચાલુ રહેશે’

લંડનઃ ભારતમાં એક બાજુ કોરોનાવાઈરસ મહાબીમારીના કેસ વધી રહ્યાની ચિંતા છે તો બીજી બાજુ આ રોગપ્રતિરોધક રસીની અછતની સમસ્યા પણ સતાવી રહી છે. આ કટોકટી વચ્ચે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર અદર પૂનાવાલાએ કહ્યું છે કે ભારતમાં રસીની અછત જુલાઈ સુધી ચાલુ રહેશે. આ અછતને કારણે મહારાષ્ટ્ર અને દિલ્હી સહિત અનેક રાજ્યોમાં 18-44 વર્ષની ઉપરના લોકોને રસી આપવાની કામગીરી વિલંબમાં પડી છે, જેનો આરંભ કેન્દ્ર સરકારે નિશ્ચિત કરેલી તારીખ મુજબ, 1 મેથી શરૂ થવી જોઈતી હતી.

ફાઈનાન્સિયલ ટાઈમ્સના અહેવાલ મુજબ, સીરમ ઈન્સ્ટિટ્યૂટ નિર્મિત કોવિશીલ્ડ રસીના ડોઝનું ઉત્પાદન જુલાઈમાં વધારવામાં આવશે. હાલ દર મહિને 6-7 કરોડ ડોઝ બનાવવામાં આવે છે, તે વધારીને આશરે 10 લાખ ડોઝ કરાશે. પૂનાવાલાએ એવો આક્ષેપ કર્યો છે કે દેશમાં રસીની અછતના મુદ્દે નેતાઓ અમને ખોટી રીતે બદનામ કરે છે. આ કટોકટી માટે અમારી કંપની નહીં, પણ સરકારની નીતિ જવાબદાર છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular