Saturday, June 7, 2025
Google search engine
HomeNewsInternationalUSની ટિપ્પણી પર ભારતનો જવાબઃ CAA ભારતનો આંતરિક મામલો છે

USની ટિપ્પણી પર ભારતનો જવાબઃ CAA ભારતનો આંતરિક મામલો છે

નવી દિલ્હીઃ સિટિઝન એમેડમેન્ટ એક્ટ (CAA)ને લઈને અમેરિકાના નિવેદન પર મોદી સરકારે આકરી પ્રતિક્રિયા આપી છે. CAA કાયદા પર અમેરિકાની ચિંતા ખોટી, અયોગ્ય અને અનપેક્ષિત છે. CAA ભારતનો આંતરિક મામલો છે. CAA નાગરિકતા આપતો કાયદો છે, લેવાવાળો નહીં, એમ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું.

તેમણે સ્પષ્ટ કર્યું હતું કે બંધારણ બધા નાગરિકોને ધાર્મિક સ્વતંત્રતા આપે છે. અલ્પસંખ્યકો પ્રત્યે ચિંતાનો કોઈ આધાર નથી. અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તા મેથ્યુ મિલરે CAA પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે એક સવાલનો જવાબ આપતાં કહ્યું હતું કે અમે 11 માર્ચે નાગરિકતા સંસોધન કાનૂન હોવાથી ચિંતિત છીએ. ધાર્મિક સ્વતંત્રતાનું સન્માન અને કાનૂન હેઠળ બધા સમાજો પ્રત્યે સમાન વ્યવહાર મૌલિક લોકતાંત્રિત સિદ્ધાંત છે.

અમેરિકાને સ્પષ્ટ જવાબ આપતાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે CAA અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બંગલાદેશના હિન્દુ, શીખ, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તી સમુદાયોથી સંબંધિત અલ્પસંખ્યકોને સુરક્ષિત આશ્રય આપે છે. એનાથી કોઈની નાગરિકતા છીનવાતી નથી. CAA રાજ્ય વિહીનતાને મુદ્દે સંબોધિત કરે છે. માનવીય ગરિમા પ્રદાન કરે છે અને માનવાધિકારોનું સમર્થન કરે છે.

જ્યાં સુધી અમેરિકી વિદેશ વિભાગના નિવેદનને સંબંધ છે, ભારતનું બંધારણ બધા નાગરિકોને ધાર્મિક સ્વતંત્રતાની ગેરન્ટી આપે છે. અલ્પસંખ્યકો પ્રતિ કોઈ પણ ચિંતા અથવા વ્યવહારનો કોઈ આધાર નથી. મત બેન્કના રાજકારણના સંકટમાં ફસાયેલા લોકોની મદદ માટે એક પ્રશંસનીય પહેલ વિશે વિચાર નિર્ધારિત નહીં કરવો જોઈએ, એમ તેમણે કહ્યું હતું.

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular