Monday, June 30, 2025
Google search engine
HomeNewsInternationalનેપાળમાં ભારતીય બસ નદીમાં પડીઃ 14નાં મોત

નેપાળમાં ભારતીય બસ નદીમાં પડીઃ 14નાં મોત

કાઠમંડુઃ નેપાળમાં 40 યાત્રીઓને લઈને જઈ રહેલી એક ભારતીય બસ નદી માર્સયાંગડી નદીમાં પડી ગઈ છે. એ દુર્ઘટના તનહુન જિલ્લામાં થઈ છે. DSP દીપકુમાર રાયાએ આ દુર્ઘટનાની પુષ્ટિ આપી હતી જણાવ્યું હતું કે UP FT 7623 નંબર પ્લેટવાળી બસ નદીમાં પડી ગઈ છે. આ બસ પોખરાથી કાઠમંડુ જઈ રહી હતી, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

આ દુર્ઘટના બાદ રાહત અને બચાવકાર્યમાં 14 લોકોના મૃતદેહ મળી આવ્યા છે અને 16 મુસાફરોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. આ બસ પોખરાના મજેરી રિસોર્ટમાં રોકાયેલા ભારતીય મુસાફરોને લઇને કાઠમંડુ તરફ રવાના થઇ હતી. આ અકસ્માત વખતે બસમાં ભારતીય મુસાફરો સવાર હતા.  અહેવાલ મુજબ ગોરખપુરથી યાત્રીઓને લઈને એ બસ નેપાળ ગઈ હતી.

સ્થાનિક પોલીસ અને બચાવ દળે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી રાહત કાર્ય શરૂ કરી દીધું છે અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક રિપોર્ટ અનુસાર બસ નદીમાં કેવી રીતે ખાબકી તેનાં કારણોની તપાસ કરવામાં આવી રહી છે. તંત્રએ ઘટનાની ગંભીરતા જોતાં તમામ જરૂરી ઉપાય શરૂ કરી દીધા છે અને રાહત અને બચાવ કાર્યને પ્રાથમિકતા આપી છે.

પ્રાથમિક અહેવાલો અનુસાર બસ નદીમાં પડવા પાછળના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને વહીવટી તંત્રએ તમામ જરૂરી પગલાં લીધા છે અને રાહત કાર્યને પ્રાથમિકતા આપી છે. આ દુ:ખદ ઘટનાથી સ્થાનિક સમુદાય અને મુસાફરોમાં ચિંતા અને શોકનું મોજું ફરી વળ્યું છે. વહીવટી તંત્ર અને બચાવ ટુકડીઓ આ દુર્ઘટનાના તમામ સંજોગોની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને અસરગ્રસ્ત પરિવારોને શક્ય તમામ સહાય પૂરી પાડવામાં આવી રહી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular