Saturday, May 24, 2025
Google search engine
HomeNewsInternationalમ્યાનમારમાં સેનાએ જનતા-કરફ્યુ લગાવ્યોઃ લોકોનો ભારે વિરોધ

મ્યાનમારમાં સેનાએ જનતા-કરફ્યુ લગાવ્યોઃ લોકોનો ભારે વિરોધ

યાંગુનઃ મ્યાનમારની સેનાની સરકારે દેશનાં સૌથી મોટાં શહેરોમાં પાંચથી વધુ લોકોના જમા થવા પર પ્રતિબંધ મૂક્યો છે. મ્યાનમારમાં દેશની સામે સેનાની સામે ઠેર-ઠેર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે અને સત્તાપલટા પછી એ બંધ થવાના સંકેતો પણ નથી મળી રહ્યા. જેથી સેના દ્વારા યાંગુન અને માંડલેમાં કરફ્યુમાં લગાવવામાં આવ્યો છે. એની સાથે જનતા પર નિયંત્રણો મૂકવામાં આવ્યાં છે. વળી, સાત જણને નોટિસ જારી કરવામાં આવી છે અન અન્ય વિસ્તારોમાંથી વધુ લોકોને નોટિસ ઇશ્યુ થવાની સંભાવના છે.

સેનાના આદેશ અનુસાર શહેરમાં પાંચથી વધુ લોકોને ભેગા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને ગાડીઓ પર અને સભાઓ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અહીં રાત્રે આઠ કલાકથી સવારે ચાર કલાક સુધી કરફ્યુ લગાવવામાં આવ્યો છે. વળી એ આદેશ આગામી સૂચના સુધી જારી રહેશે.

આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે ગેરકાયદે કાર્યો કરતા લોકો સામે અને કાયદાને નુકસાન (તોડતા) પહોંચાડનારાં તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. મ્યાનમારમાં સત્તા પલટાની સામે દેખાવો ઉગ્ર થયા હતા અને દેશના અનેક હિસ્સાઓમાંથી વિરોધ-પ્રદર્શનો થઈ રહ્યાં છે. મ્યાનમારની રાજધાનીમાં સેકડો પ્રદર્શનકારો પર પોલીસે પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો, જે ચૂંટાયેલા અધિકારીઓને સેનાની સત્તા સોંપવાની માગ કરી રહ્યા હતા.

દેખાવકારોએ સૌથી મોટા શહેર યાંગુનના એક મુખ્ય શહેરમાં રેલી કાઢી હતી, જેમાં સેનાનો સત્તાપલટો અસ્વીકાર છે અને મ્યાનમાર માટે ન્યાય આપવાની વાત કહી હતી.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular