Wednesday, July 2, 2025
Google search engine
HomeNewsInternationalકેનેડામાં મગજની રહસ્યમય બીમારીથી 48 નાગરિકો સંક્રમિત

કેનેડામાં મગજની રહસ્યમય બીમારીથી 48 નાગરિકો સંક્રમિત

ટોરેન્ટોઃ એક બાજુ વિશ્વઆખું કોરોના વાઇરસથી ઝઝૂમી રહ્યું છે, ત્યારે બીજી બાજુ કેનેડામાં એક અજીબોગરીબ બીમારી ફેલાઈ રહી છે. આ બીમારીથી સંક્રમિત લોકોમાં અનિદ્રા, અંગોમાં શિથિલતા અને મતિભ્રમ જેવાં લક્ષણો દેખાઈ રહ્યાં છે. કેનેડાના એક વિસ્તારમાં અત્યાર સુધી 48 લોકોમાં આ વિચિત્ર બીમારીનાં લક્ષણો દેખાયાં છે. આમાંથી મોટા ભાગના દર્દીઓએ કોક્ટરોને જે વાત જણાવી છે, એમાં સૌથી સામાન્ય વાત એ છે કે તેમને સપનામાં મૃત્યુ પામેલા લોકો નજરે પડી રહ્યા છે. એની સાથે અનિદ્રા અને કેટલીય પ્રકારની હેરાનગતિનો ઉલ્લેખ કર્યો છે. ડોક્ટર અને વૈજ્ઞાનિક આ નવી બીમારીનું કારણ અને અન્ય કારણો માલૂમ કરવામાં લાગી છે.  

આ બીમારીથી વહીવટી તંત્ર પણ હેરાન છે. એ શેને લીધે થઈ રહી છે એ માલૂમ કરવામાં વૈજ્ઞાનિક પ્રયાસ કરી રહ્યા છે. આ બીમારી કોરોના બાદ સામે આવી છે. આ પહેલાં પણ આ પ્રકારના કેસો કેનેડામાંથી સામે આવ્યા છે, પણ આ વખતે આના વધુ કેસો સામે આવી રહ્યા છે. સ્થાનિક લોકો પણ આ પ્રકારના કેસોને જોઈને હેરાન-પરેશાન છે.

આ બીમારીને લઈને અત્યાર સુધી કોઈ નક્કર વાત સામે નથી આવી, જેથી આને લઈને લોકોમાં અનેક પ્રકારના ભ્રમ છે. આ બીમારી કેવી રીતે ફેલાય છે, એનું મુક્ય કારણ શું છે? આને લઈને લોકોમાં મતમતાંતરો છે. કેટલાક લોકોનું માનવું ઢું કે એ ખરાબ પર્યાવરણ, પ્રદૂષણને કારણે ફેલાઈ રહ્યું છે.

કેટલાક લોકોનું માનવું છે કે એ માંસાહારથી ફેલાઈ રહી છે તો કેટલાક લોકો એને કોરોના પછી એની અસરથી એને સાંકળી રહ્યા છે. કોરોના સંક્રમણના વધતા કેસોને કારણે આ નવી બીમારી તરફ કોઈનું ધ્યાન નથી ગયું. આવામાં હવે સંક્રમણનું જોખમ વધ્યું છે. ન્યુ બ્રંસવિકના CMOએ આ સંબંધમાં પત્રકાર પરિષદ કરીને માહિતી આપી હતી.

કોરોના સંક્રમણ પછી કેનેડામાં આ બીમારી સિવાય કેટલાય પ્રકારના સંક્રમણનું જોખમ ફેલાઈ રહ્યું છે.  અત્રે એ નોંધવું જોઈએ કે પાંચ લોકોને મેડ કાઉ ડિસિઝને કારણે જીવ ગુમાવવો પડ્યો હતો. આ બીમારી રેડિયેશનને કારણે ફેલાય છે. જોકે કેટલાક લોકોનું માનવું છે કે એ રસીની આડઅસરને કારણે થઈ છે. જોકે એના પાકા પુરાવા નથી મળ્યા.

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular