Thursday, May 15, 2025
Google search engine
HomeNewsInternationalહાઇકોર્ટનો ઇસ્કોનની કામગીરી પર પ્રતિબંધ લગાવવાનો ઇનકાર

હાઇકોર્ટનો ઇસ્કોનની કામગીરી પર પ્રતિબંધ લગાવવાનો ઇનકાર

ઢાકાઃ બંગલાદેશમાં હાઇકોર્ટે ઈસ્કોનની કામગીરી પર પર પ્રતિબંધ મૂકવાથી ઇનકાર કર્યો હતો. હાઇકોર્ટમાં સુનાવણીમાં બંગલાદેશની વચગાળાની સરકારે કહ્યું હતું કે અમે ઇસ્કોનની પ્રવૃત્તિઓ સામે જરૂરી પગલાં લીધા છે. આ મુદ્દો સરકારની પ્રાથમિકતા છે.

વકીલ મોનિરુજ્જમાએ જસ્ટિસ ફરાહ મહબૂબ અને જસ્ટિસ દેબાશિષ રોય ચૌધરીની ફંડપીઠ સામે ઇસ્કોન પર પ્રતિબંધ લગાવવાની માગની અરજી દાખલ કરી હતી.

ડેપ્યુટી અટોર્ની જનરલ અસદઉદ્દીને સરકાર તરફથી લેવામાં આવેલાં પગલાં આપતાં કહ્યું હતું કે ઈસ્કોન કેસમાં અત્યાર સુધીમાં ત્રણ કેસ નોંધાયા છે અને 33 લોકોની ધરપકડ કરવામાં આવી છે. દેશમાં કોઈ પણ પ્રકારની અશાંતિને રોકવા માટે સેના તહેનાત કરવામાં આવી છે. વકીલે કહ્યું હતું કે ઇસ્કોન પર પ્રતિબંધ મૂકવાનો આ યોગ્ય સમય છે. તેના પર કોર્ટે કહ્યું હતું કે આનો નિર્ણય સરકાર કરશે.

ખરેખરમાં ઈસ્કોન મંદિરના પ્રમુખ ચિન્મય કૃષ્ણ દાસ પ્રભુની રાજદ્રોહના કેસમાં ધરપકડ થયા બાદ સંગઠનને લઈને વિવાદ વધી રહ્યો છે. દાસને જેલમાં ધકેલ્યા બાદ બાંગ્લાદેશમાં ઘણી જગ્યાએ હિંસા થઈ હતી. આ ઉપરાંત, આના કારણે બાંગ્લાદેશ અને ભારત સરકારના સંબંધોમાં પણ ખટાશ આવી છે.

અરજી કરનાર વકીલે કોર્ટને જણાવ્યું હતું કે સૈફુલના મોત પાછળ ઈસ્કોનના લોકોનો હાથ છે. આવી સ્થિતિમાં આ સંગઠન પર પ્રતિબંધ મૂકવો જોઈએ. આ અરજીમાં ચટગાંવમાં ઈમર્જન્સી જાહેર કરવાની પણ માગ કરવામાં આવી હતી. આ અરજી પર બંગલાદેશના એટર્ની જનરલ મુહમ્મદ અસદુઝમાને ઈસ્કોનને ધાર્મિક કટ્ટરવાદી સંગઠન ગણાવ્યું હતું.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular