Tuesday, July 29, 2025
Google search engine
HomeNewsInternationalG20 શિખર સંમેલન, PM મોદીએ UKના PM સામે ઉઠાવ્યો ભાગેડુઓનો મુદ્દો

G20 શિખર સંમેલન, PM મોદીએ UKના PM સામે ઉઠાવ્યો ભાગેડુઓનો મુદ્દો

બ્રાઝિલમાં આયોજિત જી20 શિખર સંમેલનમાં વડાપ્રધાન મોદીએ આજે બ્રિટનના વડાપ્રધાન સાથે મુલાકાત કરી હતી. જ્યાં તેમણે ભગુડા બિઝનેશમેનને લઈ બ્રિટેનના PM સાથે ચર્ચા કરી હતી. નોંધનિય છે કે વિજય માલ્યા અને નીરવ મોદી જેવી ભાગેડુઓ વિરૂદ્ધ બ્રિટન ટૂંકસમયમાં કાર્યવાહી હાથ ધરી શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ મુદ્દે બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મર સાથે ચર્ચાઓ કરતાં ભાગેડૂ બિઝનેસમેનના પ્રત્યાર્પણની અપીલ કરી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. જેથી બ્રિટન દ્વારા આ પગલું લેવાની સંભાવના જોવા મળી છે.

જ્યારે બીજી બાજુ ભારત અને બ્રિટેનના નેતાઓએ માઈગ્રેશન સંબંધિત કામગીરીને વેગ આપવા પર સહમતિ દર્શાવી હતી.  મીડિયા અહેવાલો અનુસાર, સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશનના ડિરેક્ટર પ્રવિણ સુદે હાલમાં જ બ્રિટિશ સુરક્ષા મંત્રી ડેન જાર્વિસ સાથે આ બંને ભાગેડુ બિઝનેસમેનનું પ્રત્યાર્પણ કરવાની માગ કરી હતી. કિર સ્ટાર્મર દ્વારા વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ PM મોદી પ્રથમ વખત તેમને મળ્યા હતા. વડાપ્રધાન બનવા બદલ શુભેચ્છા પાઠવ્યા બાદ બંને નેતાઓ વચ્ચે અર્થવ્યવસ્થા, વેપાર, નવી અને ઉભરતી ટેક્નોલોજી, રિસર્ચ, ઈનોવેશન, ગ્રીન ઈકોનોમી સંબંધિત વિવિધ મુદ્દા પર ચર્ચા થઈ હતી. ભારતીય બિઝનેસમેન નીરવ દીપક મોદી મની લોન્ડરિંગ અને છેતરપિંડી કરી બ્રિટન ભાગી ગયા હતાં. અગાઉ વિજય માલ્યા પણ 9000 કરોડનું કૌભાંડ આચરી બ્રિટન ફરાર થયા હતા. કીર સ્ટાર્મર આ બંને ભાગેડુઓ વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી શકે છે. નીરવ મોદી યુકેમાં હોવાની બાતમી માર્ચ, 2018માં મળી હતી. જ્યાં તેઓ રાજકીય આશરો લઈ રહ્યા છે. જૂન, 2019માં સ્વિસ અધિકારીઓએ નીરવ મોદીની સ્વિસ બેન્ક ખાતામાં જમા કુલ 60 લાખ ડોલરની સંપત્તિ જપ્ત કરી હતી. નીરવ મોદીએ પંજાબ નેશનલ બેન્કમાંથી 28000 કરોડનું ફ્રોડ કરી વિદેશ પલાયન કર્યું હતું. બાદમાં પોતાને વિલફૂલ ડિફોલ્ટર જાહેર કર્યો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular