Friday, June 6, 2025
Google search engine
HomeNewsInternationalPM મોદી, ઝેલેન્સ્કી વચ્ચે થયેલી વાતનો વિદેશપ્રધાને કર્યો ખુલાસો

PM મોદી, ઝેલેન્સ્કી વચ્ચે થયેલી વાતનો વિદેશપ્રધાને કર્યો ખુલાસો

કિવઃ વડા પ્રધાન મોદી અને યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમિર ઝેલેન્સેકી વચ્ચે કેટલાય મુદ્દાઓ પર ભારત અને યુક્રેન વચ્ચે ચાર મોટા સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા છે. રશિયા-યુક્રેન યુદ્ધની વચ્ચે ભારત અને યુક્રેનની વચ્ચે થયેલી સમજૂતી બહુ ખાસ છે.

વિદેશપ્રધાન ડો. એસ. જયશંકરે કહ્યું હતું કે મીટિંગમાં વેપાર, આર્થિક, સંરક્ષણ સહિત ફાર્માસ્યુટિકલ્સ, કૃષિ અને શિક્ષણ વિશે બંને નેતાઓની વચ્ચે વિચારવિમર્શ થયો છે.  વેપાર અને આર્થિક સંબંધોના પુનર્નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે વાતચીત થઈ હતી, જે હાલના દિવસોમાં ખરાબ  થયા છે.

વૈશ્વિક શાંતિ  સમિટ પાર્ટ યુક્રેન આગળ ભારતની ભૂમિકા પર વાત ઇચ્છે છે. બંને દેશો વચ્ચે યુદ્ધવિરામનો હલ કરવા માટે વાતચીત પણ થઈ હતી. પુતિનથી આ મુદ્દે થયેલી વાતચીતનો ઉલ્લેખ પણ તેમણે કર્યો હતો, એમ તેમણે કહ્યું હતું. ડાપ્રધાન નરેન્દ્ર મોદી યુક્રેન મુલાકાતે છે. તેમણે યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કી સાથે બેઠક યોજી ચર્ચાઓ શરૂ કરી છે. જેમાં બંને દેશો વચ્ચે ચાર મહત્ત્વના કરાર પર હસ્તાક્ષર પણ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

PM મોદીએ કહ્યું હતું કે શાંતિના પ્રયાસમાં ભારત સક્રિય ભૂમિકા ભજવશે. બંને દેશો વચ્ચે માનવીય મદદ, કૃષિ, ફૂડ અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં સહયોગ વધારવા સંદર્ભે મહત્ત્વના એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. વડા પ્રધાન મોદીની આ મુલાકાત બંને દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધનું સમાધાન લાવે તેવો અંદાજ યુરોપિયન યુનિયન દ્વારા આપવામાં આવ્યો છે.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular