Tuesday, May 20, 2025
Google search engine
HomeNewsInternationalસર્બિયાના ગામમાં અંધાધૂંધ ફાયરિંગમાં આઠનાં મોત, 13 ઘાયલ

સર્બિયાના ગામમાં અંધાધૂંધ ફાયરિંગમાં આઠનાં મોત, 13 ઘાયલ

બેલગ્રેડઃ સર્બિયાની રાજધાની બેલગ્રેડથી આશરે 60 કિલોમીટર (37 માઇલ) દક્ષિણમાં એક સર્બિયાઈ શહેરની પાસે થયેલા ગોળીબારમાં ગુરુવારે રાત્રે આઠ લોકોનાં મોત થયાં છે અને અન્ય 13 લોકો ઘાયલ થયા હતા. RTS ટેલિવિઝનના ન્યૂઝ મુજબ એ ગોળીબાર મ્લાડેનોવાકની પાસે એ સમયે થયો, જ્યારે હુમલોખોર ચાલતી ગાડીમાંથી ગોળીઓ ચલાવી હતી અને ફરાર થયો હતો અને પોલીસ હુમલાખોરને શોધી રહી છે.

આ ગોળીબારની ઘટના પછી આ વિસ્તારમાં ભારે પોલીસ દળ તહેનાત કરવામાં આવ્યાં હતાં અને કેટલીક એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યાં હેલોકોપ્ટરથી પણ વિસ્તારમાં દેખરેખ જારી રહી હતી. એક 14 વર્ષીય વિદ્યાર્થીએ એક સ્કૂલમાં વિદ્યાર્થીઓ અને સુરક્ષા ગાર્ડો પર ફાયરિંગ કર્યું હતું. સ્થાનિક સમાચાર એજન્સી તંજુગના રિપોર્ટ મુજબ આ ફાયરિંગમાં કમસે કમ નવ લોકોનાં મોત થયાં હતાં. આ મૃતકોમાં આઠ બાળકો પણ સામેલ છે. પોલીસે જણાવ્યું હતું કે સાતમા ધોરણના એક વિદ્યાર્થીની ધરપકડ કરી લીધી હતી. આ પહેલાં આ વર્ષે મ્લાડેનોનોવેકમાં એક ગ્રામીણે 10 સંબંધીઓ અને પડોસીઓની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.

સરકારે જારી કરી ચેતવણીસર્બિયામાં ગોળીબારની ઘટનાઓ ઓછી થાય છે. ત્યાં લોકો પાસે ગન લાઇસન્સ પણ હોય છે. તેમ છતાં દેશાં સામૂહિક ગોળીબારની ઘટના બહુ દુર્લભ માનવામાં આવે છે. અહીં બે દિવસ થયેલા સતત સતત ગોળીબારની ઘટનાઓએ દેશની સરકારને ચિંતામાં મૂકી દીધી છે. આને લઈને સર્બિયાના આંતરિક મંત્રાલયે ગુરુવારે બંદૂક રાખવાવાળાઓ માટે ચેતવણી પણ જારી કરી છે.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular