Thursday, May 15, 2025
Google search engine
HomeNewsInternationalવાવાઝોડા ફેંગલથી શ્રીલંકામાં 4.5 લાખ લોકો પ્રભાવિત, 15નાં મોત

વાવાઝોડા ફેંગલથી શ્રીલંકામાં 4.5 લાખ લોકો પ્રભાવિત, 15નાં મોત

નવી દિલ્હીઃ દક્ષિણ-પશ્ચિમી બંગાળની ખાડી પર બનેલા ઘેરા દબાણને કારણે પ્રતિકૂળ હવામાન સ્થિતિને કારણે શ્રીલંકામાં 15 લોકોનાં મોત થયા છે, એમ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કેન્દ્ર (DMC)એ આ માહિતી આપી હતી.  દેશમાં પૂર, તેજ હવા અને ભૂસ્ખલનને કારણે 4.50 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે.

શ્રીલંકામાં હવામાને ખતરનાક વળાંક લીધો છે. આવી પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓને કારણે પૂર, તોફાન અને ભૂસ્ખલનને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. હવામાનમાં આવેલા ફેરફારને કારણે શ્રીલંકામાં 15 લોકોના જીવ લીધા છે. હવામાન હવે વધુ ખરાબ થવાની સંભાવના છે.

DMCએ જણાવ્યું હતું કે દેશમાં સૌથી વધુ 10નાં મોત પૂર્વીય પ્રાંતમાં થયાં છે. પૂર્વીય પ્રાંતમાં તબાહી મચાવનાર ચક્રવાતી તોફાન શનિવાર બાદમાં ભારતના દક્ષિણી રાજ્ય તમિલનાડુ તરફ આગળ વધશે, એમ હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું. આ પછી દેશમાં હવામાનમાં સુધારો થઈ શકે છે.

જોકે ઉત્તર-મધ્ય અને પૂર્વ ત્રિંકોમાલી જિલ્લામાં 100 મિમીથી વધુ વરસાદની સંભાવના છે, એમ હવામાન વિભાગે જણાવ્યું હતું. દેશના કેટલાક ભાગોમાં 60 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. પોલીસે જણાવ્યું હતું કે પૂરને કારણે છ વિદ્યાર્થીઓના મોત સંબંધે તેમણે શાળાના આચાર્ય અને એક શિક્ષકની ધરપકડ કરી છે. બસ ન હોવાથી આચાર્યએ વિદ્યાર્થીઓને ટ્રેક્ટરથી જવાનું કહ્યું હતું. વાવાઝોડું ફેંગલ શનિવારે પોંડિચેરી નજીક પહોંચવાની શક્યતા છે. ફેંગલના પુડુચેરીની પાસે કરાઈકલ અને મહાબલિપુરમની વચ્ચે પસાર થવાની શક્યતા છે.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular