Monday, June 30, 2025
Google search engine
HomeNewsInternationalપાકિસ્તાનની મસ્જિદમાં બોમ્બવિસ્ફોટે 56નો ભોગ લીધો

પાકિસ્તાનની મસ્જિદમાં બોમ્બવિસ્ફોટે 56નો ભોગ લીધો

પેશાવરઃ પાકિસ્તાનના વાયવ્ય સરહદ પ્રાંતના પેશાવર શહેરમાં આજે એક મસ્જિદમાં શુક્રવારની નમાઝ પઢવામાં આવી રહી હતી એ વખતે પ્રચંડ બોમ્બ વિસ્ફોટ થતાં ઓછામાં ઓછા 56 જણ માર્યા ગયા છે અને બીજાં 50થી વધારે લોકો ઘાયલ થયા છે. પાકિસ્તાનના ગૃહ પ્રધાન શેખ રશીદે આ ઘટનાને સમર્થન આપ્યું છે. બોમ્બ ફાટ્યો ત્યારે મસ્જિદ શ્રદ્ધાળુઓથી ભરચક હતી.

આ ધડાકો પેશાવરના કિસ્સા ખ્વાની બાઝાર વિસ્તારમાં આવેલી જામિયા મસ્જિદમાં થયો હતો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular