Friday, May 16, 2025
Google search engine
HomeNewsInternationalબંગલાદેશમાં હિન્દુઓ, ધાર્મિક સ્થળો પર ઉપદ્રવીઓના હુમલા

બંગલાદેશમાં હિન્દુઓ, ધાર્મિક સ્થળો પર ઉપદ્રવીઓના હુમલા

ઢાકાઃ બંગલાદેશમાં હિન્દુઓ અને તેમનાં ધાર્મિક સ્થળો પર 24 કલાક હુમલા કરવામાં આવી રહ્યા છે. આ હુમલાના વિડિયો સતત સોશિયલ મિડિયામાં આવી રહ્યા છે. હિન્દુઓનો ઘેરાવ કરીને અને રસ્તાઓ પર ચાર રસ્તે તેમને દોડાવી-દોડાવીને માર મારવામાં આવી રહ્યો છે.

બંગલાદેશની યુનુસ સરકાર આ તમામ બાબતો નજરઅંદાજ કરી રહી છે. સરકારે ઉપદ્રવીઓને હિંદુ પર હુમલો કરવાનો છૂટો દોર આપ્યો છે. હાલના સમયે હિંદુઓ બંગલાદેશમાં પોતાને અસહાય અનુભવી રહ્યા છે. હિંદુઓ મદદ માટે વિનંતી કરી રહ્યા છે, પરંતુ મુસ્લિમ ધર્મના લોકો લઘુમતીઓ પર અત્યાચાર કરી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં હિંદુઓનાં અનેક ઘરો, દુકાનો, ઓફિસો અને મંદિરોને તોડી પાડવામાં આવ્યાં છે. હિંદુઓને દંડાથી મારવામાં આવ્યા છે. તેમનાં ઘરો અને દુકાનોને આગ લગાડવામાં આવી છે. દીકરીઓ અને મહિલાઓ સાથે દુષ્કર્મ થઈ રહ્યું છે.

હિંદુ લઘુમતીઓને નિશાન બનાવતાં ઉપદ્રવીઓ રસ્તાઓ પર ખુલ્લેઆમ ફરી રહ્યા છે. તેમના હાથમાં લાકડીઓ, તીક્ષ્ણ હથિયારો અને અન્ય ઘાતક વસ્તુઓ છે. જેની મદદથી તેઓ હિંદુઓ અને તેમની સાથે જોડાયેલાં પ્રતીકો પર ઘાતક હુમલા કરી રહ્યા છે.

 

ઇસ્કોન મંદિર કોલકાતાના ઉપાધ્યક્ષ અને પ્રવક્તા રાધારમણ દાસે આ હુમલાનો એક વિડિયો શેર કર્યો છે. તેમણે લખ્યું છે કે 24 કલાક હિંદુઓ અને તેમના જોડાયેલાં સ્થાનો પર હુમલા કરવામાં આવી રહ્યા છે અને તેમને રોકનાર કોઈ નથી.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular