Sunday, June 29, 2025
Google search engine
HomeNewsInternationalકોરોનાને કારણે છ મહિના સુધી પ્રતિકૂળ સ્થિતિઃ ઈરાની પ્રમુખ રુહાની

કોરોનાને કારણે છ મહિના સુધી પ્રતિકૂળ સ્થિતિઃ ઈરાની પ્રમુખ રુહાની

તહેરાનઃ ઇરાનના પ્રમુખ હસન રુહાનીએ ભવિષ્યવાણી કરી છે કે દેશમાં કોવિડ-19 રોગચાળો આગામી છ મહિના સુધી રહેશે. વર્તમાનમાં મધ્ય-પૂર્વનો આ દેશ કોરોનાનો સૌથી પ્રતિકૂળ પ્રકોપ સહન કરી રહ્યો છે. અત્યાર સુધી ઇરાનમાં કોરોના વાઇરસના કેસોની સંખ્યા 3,26,712 અને મોતની સંખ્યા 18,627 હતી. અહીં અત્યાર સુધી કુલ 2,84,371 દર્દીઓ ઠીક થયા છે અને 4022ની હાલત ગંભીર છે.

વેક્સિન હજી સુધી નથીતેમણે કહ્યું હતું કે જ્યાં સુધી આપણને કોરોના વાઇરસ સામે અસરકારક વેક્સિન નથી મળતી અને એ પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ નથી થતી ત્યાં સુધી આપણે આવી સ્થિતિનો સામનો કરવો પડશે.

તેમણે વધુમાં કહ્યું હતું કે એ સંભવ જ નથી કે ત્યાં સુધી આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક કામગીરીને સંપૂર્ણ રીતે રદ કરી શકાય. તેમણે જનતાથી સામાજિક સુરક્ષા પ્રક્રિયાઓનું સન્માન કરવા માટે કહ્યું હતું. તેમણે આગામી સપ્તાહ માપદંડોનું ઉલ્લંઘન કરવાવાળાની સામે દંડાત્મક કાર્યવાહી કરવાની ઘોષણા કરી હતી.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular