Thursday, May 15, 2025
Google search engine
HomeNewsInternationalક્રાઉન પ્રિન્સ પાકિસ્તાનના પ્રવાસે: ઈમરાનની આશાઓ ફળશે?

ક્રાઉન પ્રિન્સ પાકિસ્તાનના પ્રવાસે: ઈમરાનની આશાઓ ફળશે?

ઈસ્લામાબાદ: સંયુક્ત અરબ અમીરાત (યુએઈ)ના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન ગુરુવારે એક દિવસના પ્રવાસે પાકિસ્તાન પહોંચ્યા છે. આ દરમ્યાન તે પરસ્પર હિતો અને ક્ષેત્રીય મુદ્દાઓ અંગે વડાપ્રધાન ઈમરાન ખાન સાથે ચર્ચા કરશે. સમાચાર એજન્સી ડોનના જણાવ્યા અનુસાર ઈસ્લામાબાદ સ્થિત યુએઈના રાજદૂતે એક નિવેદનમાં કહ્યું તેમના એક દિવસીય પ્રવાસ દરમ્યાન ક્રાઉન પ્રિન્સ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સાથે મુલાકાત કરશે.

બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંદોને પ્રોત્સાહન આપવા પર ચર્ચા કરશે. યુએઈના ક્રાઉન પ્રિન્સ પાકિસ્તાનના પ્રવાસે એવા સમયે ગયા છે જ્યારે પાકિસ્તાન પોતાની કથળેલી અર્થવ્યવસ્થાને ફરી પાટે ચઢાવવાના રસ્તાઓ શોધી રહ્યું છે. મહત્વનું છે કે, અગાઉ ક્રાઉન પ્રિન્સે 6 જાન્યુઆરી 2019ના રોજ પાકિસ્તાનની મુલાકાત લીધી હતી. તેમના પ્રવાસના થોડા સમય પછી જ યુએઈએ પાકિસ્તાની અર્થવ્યવસ્થાને પાટે લાવવા ત્રણ બિલિયન ડોલરનું ફંડ આપવાની જાહેરાત કરી હતી.

સાઉદી અરબ અને પાકિસ્તાન વચ્ચે ભલે કશ્મીર મુદ્દે ઈસ્લામિક દેશોના સંગઠન (ઓઆઈસી)ની વિશેષ બેઠક બોલવવા પર સહમતી ન બની હોય પણ એના કારણે ભારતની સાઉદી અરબ કે ઓઆઈસીના અન્ય દેશો સાથેના સંબંધો પર હાલમાં કોઈ અસર પડવાની સંભાવના નથી. એની પાછળનું કારણ એ છે કે, ભારત ઓઆઈસીના તમામ પ્રમુખ દેશો સાથે લાંબી રણનીતિક ભાગીદારીનો પાયો નાખી ચૂક્યું છે. સાથે જ ઓઆઈસીની વિશ્વ સ્તર પર ખરાબ થતી જતી શાખ પણ એક કારણ છે કે, ભારત પ્રતિક્રિયા આપવાને બદલે શાંત છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular