Friday, May 16, 2025
Google search engine
HomeNewsNationalજમ્મુ-કાશ્મીર: એન્કાઉન્ટરમાં 3 આતંકવાદી ઠાર

જમ્મુ-કાશ્મીર: એન્કાઉન્ટરમાં 3 આતંકવાદી ઠાર

સેનાએ જમ્મુ અને કાશ્મીરના પૂંછમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા મોટા ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. આ એન્કાઉન્ટરમાં 3 આતંકવાદીઓ માર્યા ગયા છે. હાલમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ સંયુક્ત કાર્યવાહીમાં સેના સાથે જમ્મુ અને કાશ્મીર પોલીસ પણ સામેલ હતી. સુરક્ષા દળોએ ગાઢ જંગલોમાં આતંકવાદીઓને ઠાર માર્યા.

 

આ આતંકવાદીઓ ખારી કરમારા વિસ્તાર નજીક ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા હતા. આ આતંકવાદીઓ પાસે ભારે હથિયારો હતા. સેનાએ આ વિસ્તારમાં નિયંત્રણ રેખા પર કેટલીક હિલચાલ જોઈ, જેના પગલે આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો. ગાઢ જંગલોમાં શોધખોળ કામગીરી ચાલુ છે. આ અંગે સેના દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પણ આ જ વિસ્તારમાં ઘૂસણખોરીનો પ્રયાસ થયો હતો. મેંઢર તાલુકાના પઠાણ તીર વિસ્તારના જંગલમાં આતંકવાદીઓએ સેના પર હુમલો કર્યો હતો. બદલામાં, સેનાએ આતંકવાદીઓના ટોચના કમાન્ડરને ઠાર માર્યો. સીઆરપીએફ અને પોલીસ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular