Friday, June 27, 2025
Google search engine
HomeNewsNationalભારત-ઇન્ડોનેશિયા વચ્ચે અનેક ક્ષેત્રોમાં સમજૂતી કરાર પર હસ્તાક્ષર

ભારત-ઇન્ડોનેશિયા વચ્ચે અનેક ક્ષેત્રોમાં સમજૂતી કરાર પર હસ્તાક્ષર

નવી દિલ્હીઃ ભારતની યાત્રા પર આવેલા ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતાઓએ PM મોદી સાથે મુલાકાત કરી હતી. તેઓ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે મુખ્ય અતિથિ બનવા માટે ભારત આવી પહોંચ્યા છે. દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં બંને નેતાઓની વચ્ચે અનેક ક્ષેત્રોમાં સમજૂતી કરાર (MOU) થયા હતા.

PM મોદીએ ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે દેશના પ્રથમ ગણતંત્ર દિવસના અવસર પર ઈન્ડોનેશિયા મુખ્ય અતિથિ દેશ હતો અને એ અમારા માટે ગર્વની વાત છે કે ભારતના 75મા પ્રજાસત્તાક દિવસના અવસર પર ઈન્ડોનેશિયા ફરી એક વાર આ ઐતિહાસિક ક્ષણનો હિસ્સો છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે 2018માં ઇન્ડોનેશિયાની મારી મુલાકાત દરમિયાન અમે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી તરીકે અમારી ભાગીદારીને આગળ વધારી હતી. આજે મેં રાષ્ટ્રપતિ પ્રબોવો સાથે અમારા પરસ્પર સહયોગના વિવિધ પાસાઓ પર વ્યાપક ચર્ચા કરી હતી. સંરક્ષણ ક્ષેત્રમાં સહકારને આગળ વધારવા માટે, અમે ઉત્પાદન અને પુરવઠામાં સાથે મળીને કામ કરવાનું પણ નક્કી કર્યું છે, અમે દરિયાઈ સુરક્ષા, આતંકવાદવિરોધી અને કટ્ટરપંથીકરણમાં સહયોગ પર પણ ભાર મૂક્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે સમુદ્રીય સુરક્ષા અને સુરક્ષાના ક્ષેત્રમાં આજે થયેલા કરારથી ગુના નિવારણ, શોધ અને બચાવ અને ક્ષમતા નિર્માણમાં અમારો સહયોગ વધુ મજબૂત બનશે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં અમારો દ્વિપક્ષી વેપાર ઝડપથી વધ્યો છે. ગયા વર્ષે એ $30 બિલિયનથી વધુ હતો.

આ પહેલાં એરપોર્ટ પર વિદેશ રાજ્ય મંત્રી પવિત્રા માર્ગેરિટાએ તેમનું સ્વાગત કર્યું હતું. પ્રબોવો સુબિયાન્તો પ્રજાસત્તાક દિવસે મુખ્ય અતિથિ તરીકે હાજરી આપનારા ઈન્ડોનેશિયાના ચોથા રાષ્ટ્રપતિ છે. તેઓ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. PM મોદી અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટોની હાજરીમાં દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે MOUની આપ-લે કરવામાં આવી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular