Sunday, June 8, 2025
Google search engine
HomeNewsNationalનોટબંધીને 8 વર્ષ બાદ પણ રોકડ વ્યવહારમાં ઘટાડો થયો નથી: રાહુલ ગાંધી

નોટબંધીને 8 વર્ષ બાદ પણ રોકડ વ્યવહારમાં ઘટાડો થયો નથી: રાહુલ ગાંધી

નવી દિલ્હી: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ નોટબંધીને આઠ વર્ષ પૂર્ણ થવા પર ફરી એકવાર કેન્દ્ર સરકારને ઘેરી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, નોટબંધી પછી પણ ભારતમાં આજે રોકડનો ઉપયોગ પહેલા કરતા વધુ છે. ડિમોનેટાઇઝેશનનો ઉદ્દેશ્ય રોકડ પર નિર્ભરતા ઘટાડવા અને ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપવાનો હતો, પરંતુ તેની અપેક્ષિત અસર દેખાતી નથી.

રાહુલ ગાંધીએ એક પોસ્ટમાં લખ્યું છે કે નિષ્ણાતો માને છે કે નોટબંધીથી સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો અને અનૌપચારિક ક્ષેત્ર પર ઊંડી અસર પડી છે. તેના કારણે બજારમાં ઘણા મોટા ઉદ્યોગો અને એકાધિકારની સ્થિતિ ઉભી થઈ, જેના કારણે નાના ઉદ્યોગોને નુકસાન થયું છે.આર્થિક નિષ્ણાતોના મતે દેશમાં ખોટી નીતિઓના કારણે વેપારી જગત માટે ભયનું વાતાવરણ ઉભુ થયું છે. જેના કારણે દેશની આર્થિક ક્ષમતા નબળી પડી રહી છે. ભારતની આર્થિક પ્રગતિ માટે નવી નીતિની જરૂર છે જે નિષ્પક્ષતા અને સ્વતંત્રતાને પ્રોત્સાહન આપે અને નાના તેમજ પ્રામાણિક વ્યવસાયોને વિકાસની તક આપે.8 નવેમ્બર 2016ની તારીખ દેશમાં એક મોટા નિર્ણય અને પરિવર્તનની સાક્ષી છે. તે જ દિવસે મધરાતથી 500 અને 1000 રૂપિયાની નોટો ચલણમાંથી બહાર થઈ ગઈ હતી. સરકારના આ નિર્ણયથી દેશમાં ભારે ખળભળાટ મચી ગયો હતો, પરંતુ ત્યારબાદ નવી નોટો કરન્સી માર્કેટનો એક ભાગ બની ગઈ.વર્ષ 2022ના એક રિપોર્ટ અનુસાર, નોટબંધી બાદ દેશમાં કેશ સર્ક્યુલેશન 71.84 ટકા વધ્યું હતું. જ્યારે 8 નવેમ્બર 2016ના રોજ નોટબંધીની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે 4 નવેમ્બર 2016ના રોજ દેશમાં 17.7 લાખ કરોડ રૂપિયાની રોકડ હતી. જ્યારે 29 ઓક્ટોબર 2021થી તે વધીને 29.17 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ હતી. એટલે કે, 2021માં નોટોના સર્ક્યુલેશનમાં લગભગ 64 ટકાનો વધારો થયો હતો, જે વર્ષ 2022માં એટલે કે નોટબંધીના છઠ્ઠા વર્ષે વધીને લગભગ 72 ટકા સુધી પહોંચી ગયો હતો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular