Wednesday, June 11, 2025
Google search engine
HomeNewsNational'ભારત વૈશ્વિક ખાદ્ય સંકટને ઉકેલવા માટે કરી રહ્યું છે કામ' : PM...

‘ભારત વૈશ્વિક ખાદ્ય સંકટને ઉકેલવા માટે કરી રહ્યું છે કામ’ : PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દિલ્હીમાં કૃષિ અર્થશાસ્ત્રીઓની 32મી આંતરરાષ્ટ્રીય પરિષદના ઉદ્ઘાટન કાર્યક્રમમાં પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ હાજર રહ્યા હતા. પીએમ મોદીએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત કૃષિ અર્થશાસ્ત્રીઓને પણ સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું કે 65 વર્ષ પછી ભારતમાં આવી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેને જોઈને તેઓ ખુશ છે. પીએમ મોદીએ કાર્યક્રમમાં હાજર તમામ લોકોનું સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું કે કૃષિ સંબંધિત આપણી પરંપરાઓ આપણા દેશ જેટલી જ પ્રાચીન છે.

બધાનું સ્વાગત કરતા પીએમ મોદીએ કહ્યું કે, 65 વર્ષ પછી દેશમાં આવી કોન્ફરન્સનું આયોજન થઈ રહ્યું છે તે જોઈને મને ખૂબ જ આનંદ થાય છે. તમે લોકો આ દુનિયાના જુદા જુદા દેશોમાંથી અહીં આવ્યા છો. 12 કરોડ ભારતીય ખેડૂતો, 3 કરોડ ભારતીય મહિલા ખેડૂતો અને 3 કરોડ માછીમારો વતી હું તમારું સ્વાગત કરું છું. આજે તમે એવા દેશમાં છો જ્યાં 55 કરોડ પ્રાણીઓ રહે છે. કૃષિ અને પ્રાણીપ્રેમી દેશમાં આપ સૌનું સ્વાગત છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “અન્ન અને કૃષિ વિશેની આપણી પરંપરાઓ અને અનુભવો આપણા દેશ જેટલા જ પ્રાચીન છે. ભારતમાં કૃષિ પરંપરામાં વિજ્ઞાનને પ્રાધાન્ય આપવામાં આવે છે.

પીએમ મોદીએ કહ્યું કે છેલ્લી વખત જ્યારે ભારતે આ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, તેને આઝાદી મળ્યાને લાંબો સમય થયો ન હતો. તે સમયગાળો દેશમાં કૃષિ અને ખાદ્ય સુરક્ષા માટે ખૂબ જ પડકારજનક સમયગાળો હતો. તેમણે કહ્યું, “ભારત હવે ફૂડ સરપ્લસ દેશ છે. તે વિશ્વમાં દૂધ, કઠોળ અને મસાલાનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. આ ઉપરાંત, ભારત ખાદ્યાન્ન, ફળો, શાકભાજી, કપાસ, ખાંડ અને અન્ય ઉત્પાદનમાં પણ બીજો સૌથી મોટો ઉત્પાદક બની ગયો છે. ચા એક સમય હતો જ્યારે ભારતની ખાદ્ય સુરક્ષા વિશ્વ માટે ચિંતાનું કારણ હતી, હવે ભારત વૈશ્વિક ખાદ્ય અને પોષણ સુરક્ષા માટે ઉકેલો પ્રદાન કરવા માટે કામ કરી રહ્યું છે.”

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular