Saturday, June 14, 2025
Google search engine
HomeNewsGujarat‘હું કેન્સર સર્જન બનીશ’, પિતાના જીવન માટે પુત્રનું યથાર્થ સ્વપ્ન

‘હું કેન્સર સર્જન બનીશ’, પિતાના જીવન માટે પુત્રનું યથાર્થ સ્વપ્ન

સુરત: રાજ્યમાં ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં આ વર્ષ ધોરણ 10 પરિણામ 82.56 ટકા આવ્યું છે. જેમાં A-1 ગ્રેડમાં સુરતના 4870 વિદ્યાર્થીઓ સ્થાને મળ્યું છે.

સુરતના નાના વરાછા ખાતે આવેલી કૌશલ વિદ્યાભવનમાં 197 વિદ્યાર્થીઓમાંથી 91 વિદ્યાર્થીઓને A-1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. જ્યારે 62 વિદ્યાર્થીઓને A-2 ગ્રેડ મળ્યો હતો. આમ શાળામાં એ-2 કરતાં એ-1 મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે. જેમાંથી કેન્સરગ્રસ્ત પિતા રમેશભાઈ સાવલિયાના પુત્ર ધર્મએ એ-વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. ધર્મના પિતાને છેલ્લા એક વર્ષથી મોઢાનું કેન્સર છે. અગાઉ એ હીરા ઘસવાના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. ધોરણ 10 ની શરૂઆત સાથે જ પિતાને કેન્સર ડિટેકટ થતા સ્થિતિ કપરી બની હતી. પણ કઇક કરી બતાવવું છે એવી નેમ સાથે તનતોડ મહેનત શરૂ કરી અને આજે સારૂ પરિણામ લાવીને હવે ભવિષ્યમાં વધુ મહેનત કરીને ડોકટર બનવાની ઈચ્છા શક્તિ ધરાવે છે. ઘરમાં પિતાને કેન્સર હોવાથી એની તકલીફ જોઈને ધર્મને  કેન્સરના જ ડોકટર બનવાની તમન્ના છે.

રાજ્યમાં ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે ક્યાંક ખુશીનો માહોલ જોવા મળ્યા ક્યાંક ગમનો માહોલ. રાજ્યમાં આ વર્ષ ધોરણ 10 પરિણામ 82.56 ટકા આવ્યું છે. જ્યારે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 17.94 ટકાનો વધુ પરિણામ જાહેર થયું છે. 2023માં ધોરણ 10નું પરિણામ 64.62 ટકા આવ્યું હતું.

(અરવિંદ ગોંડલિયા, સુરત)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular