Friday, June 13, 2025
Google search engine
HomeNewsInternationalબાંગ્લાદેશમાં હવે ખ્રિસ્તીઓના 17 મકાનોને આગ ચાંપી

બાંગ્લાદેશમાં હવે ખ્રિસ્તીઓના 17 મકાનોને આગ ચાંપી

બાંગ્લાદેશ: આ દેશમાં શેખ હસીનાના તખ્તા પલટ પછી લઘુમતી સમુદાયો પરના અત્યાચારોમાં વધારો જ થઈ રહ્યો છે. પહેલાં હિન્દુઓ અને હવે ખ્રિસ્તી સમુદાયના લોકોને નિશાન બનાવવામાં આવ્યા છે. અહીંના બંદરબનમાં ક્રિસમસના એક દિવસ પહેલા ખ્રિસ્તી સમુદાયના લોકોના 17 ઘરોને બાળી નાખવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે.આ ઘટના બંદરબન જિલ્લાના ચિત્તાગોંગના પર્વતીય વિસ્તારમાં સ્થિત સરાઈ યુનિયનમાં બની હતી. અહેવાલ મુજબ, આ હુમલો 25મી ડિસેમ્બરના રોજ રાત્રે 12:30 કલાકે થયો હતો. જ્યારે અહીં રહેતા ત્રિપુરા સમુદાય (ખ્રિસ્તીઓ)ના લોકો નજીકના ગામમાં નાતાલની પ્રાર્થનામાં ભાગ લેવા માટે ગયા હતા. કારણ કે તેમના ગામમાં કોઈ ચર્ચ ન હતું.

17 મકાનોને આગ ચાંપી દીધી 

અસરગ્રસ્ત ગામ નવા બેટાચરા પરા ખાતે કોઈ હાજર નહોતું અને તેનો લાભ લઈને બદમાશોએ ત્યાં પહોંચીને લામા ઉપજિલ્લાના સરાઈ યુનિયનના વોર્ડ નંબર 8માં આવેલા ઘરોને આગ ચાંપી દીધી હતી. અહીંના લોકો નાતાલની ઉજવણી કરવા નજીકના ટોંગ્યાજીરી ગામમાં પહોંચ્યા હતા. હુમલાખોરોએ તેમની ગેરહાજરીનો લાભ લીધો અને ઘરોમાં આગ લગાડી દીધી જેમાં ગામના 19માંથી 17 ઘરો બળીને રાખ થઈ ગયા.ગામના લોકો પહોંચ્યા ત્યાં સુધીમાં તો… 

25 ડિસેમ્બરના રોજ રાત્રે  12:30 વાગ્યે ક્રિસમસની પ્રાર્થનામાં ભાગ લેવા ગયેલા ગ્રામજનોએ તેમના ગામમાંથી જ્વાળાઓ નીકળતી જોઈ તો તેઓ પાછા ભાગ્યા અને તેઓ તેમના ગામમાં પહોંચ્યા ત્યાં સુધીમાં તો 19માંથી 17 ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા હતા. અહીંના ઘરો મુખ્યત્વે વાંસના બનેલા હોવાથી ઝડપથી આગ પકડીને બળીને ખાખ થઈ ગયા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular