Friday, May 23, 2025
Google search engine
HomeNewsGujaratBZ કૌભાંડમાં શિક્ષકોની સંડોવણી સામે શૂન્ય સહનશીલતાનો અભિગમ

BZ કૌભાંડમાં શિક્ષકોની સંડોવણી સામે શૂન્ય સહનશીલતાનો અભિગમ

ઉત્તર ગુજરાતમાં BZ ગ્રુપનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે. CID દ્વારા અલગ અલગ ટીમો દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ કૌભાંડમાં શિક્ષકોની સંડોવણી હોવાની પ્રાથમિક માહિતી સામે આવતા શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસુરીયાએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેઓએ દ્રઢપણે જણાવ્યું કે, કૌભાંડમાં સંડોવાયેલા કોઈપણ શિક્ષકને છોડવામાં નહીં આવે અને કોઈપણ ભલામણ ક્યારેય સ્વીકારવામાં નહીં આવે.

શિક્ષણ મંત્રીએ આ મામલે કહ્યું, “જો કોઈ શિક્ષક કે શિક્ષણ જગત સાથે જોડાયેલ વ્યક્તિ કૌભાંડમાં સંડોવાયેલી હશે તો તેનાં વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે”. BZ કૌભાંડમાં સંડોવાયેલા શિક્ષકો કે અન્ય એજન્ટોને લઈને પ્રફુલભાઈ પાનસુરીયાએ કહ્યું, “CID દ્વારા આપવામાં આવેલા નામો પર તાત્કાલિક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. જો કોઈ શિક્ષકને ગુનામાં સંડોવાયો હોવાનું સાબિત થશે તો તેમને યોગ્ય દંડ અને સજા કરવામાં આવશે”.

શિક્ષણ મંત્રાલયે સિસ્ટમમાં સંભવિત ભ્રષ્ટાચાર સામે લડવા માટે શૂન્ય સહનશીલતાનો અભિગમ અપનાવ્યો છે. BZ કૌભાંડમાં સંડોવાયેલા કોઈ પણ શિક્ષકને છોડવામાં નહીં આવે. જો કોઈ કૌભાંડ સાથે સંકળાયેલ હશે તો કાયદેસરની કાર્યવાહી માટે કડક પગલાં લેવામાં આવશે. BZ કૌભાંડમાં શિક્ષકોની સંડોવણીની માહિતી સામે આવતા રાજ્યભરના શિક્ષણ જગતમાં પણ ભારે ચકચાર મચી છે. આ કૌભાંડ રાજ્યની શૈક્ષણિક વ્યવસ્થાને પડકારરૂપ સ્થિતિમાં મૂકી શકે છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular