Tuesday, June 17, 2025
Google search engine
HomeNewsGujaratદિલ્હીથી વડોદરા આવતી ફ્લાઈટ કેમ થઈ રદ?

દિલ્હીથી વડોદરા આવતી ફ્લાઈટ કેમ થઈ રદ?

રાજ્યમાં શાળા અને એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા મેઈલને લઈ તપાસ શરૂ છે. એ વચ્ચે ફરી એક વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર દોડતું થયું છે. નોંધનય છે કે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવાનો સિલસીલો દેશની રાજધાની દિલ્હીથી શરૂ થયો છે.

ગઈ કાલે એર ઈન્ડિયાની AI-819 ફ્લાઈટ જે સાંજે સાડા સાત વાગ્યે વડોદરા આવવા ઉડાન ભરવાની હતી. પરંતુ એર ઈન્ડિયાને બોમ્બની ધમકી મળતા ફ્લાઈટ દિલ્હીમાં જ રોકી દેતાં 150 મુસાફરો અટવાયા હતા. આ ફ્લાઈટ ટેક ઓફ કરવા માટે લગભગ તૈયાર હતી જે બાદ ધમકી મળતાની સાથે ફ્લાઈટની 10 કિલોમીટર દુર ગ્રાઉન્ડ કરવામાં આવી હતી. જ્યારે મુસાફરોને બીજી ફ્લાયઈટમાં બેસાડવામાં આવ્યા હતા.

જ્યારે બોમ્બની ધમકી મળતાની સાથે જ ફ્લાઈટમાં બોમ્બની તાપસના ધમરધમાટ શરૂ થયા હતા. મોડી રાત સુધી ચેકિંગ કર્યા બાદ ફ્લાઈટમાંથી કોઈ પણ શંકા સ્પદ વસ્તુ ન મળી હોવાની માહિતી મળી રહી છે. ઉલ્લેખનીય છે કે આજે આ ફ્લાઈટે 176 મુસાફરો સાથે દિલ્હીથી ઉડાન ભરી છે. ગતરાત્રે વડોદરા એરપોર્ટથી જનાર 180 મુસાફરો અટવાયા હતા, જે તમામ આજે રિશિડ્યુલ ફ્લાઈટમાં જશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular