Thursday, June 12, 2025
Google search engine
HomeNewsGujaratઅમરેલી લેટરકાંડ મુદ્દે દિલીપ સંઘાણીએ CMને પત્ર લખી શું માગ કરી?

અમરેલી લેટરકાંડ મુદ્દે દિલીપ સંઘાણીએ CMને પત્ર લખી શું માગ કરી?

અમરેલી લેટરકાંડ લઈ ગુજરાતભરમાં પડઘા પડ્યા. લેટરકાંડ મામલે યુવતી સાથે થયેલા અન્યાય સામે રાજકારણ પણ ગરમાયું હતું. ત્યારે હવે આ મામલે ઈફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીએ CMને પત્ર લખ્યો છે, જેમાં અમરેલી લેટરકાંડની તપાસ નિવૃત્ત જજની અધ્યક્ષતામાં કરાવવામાં આવે તેવી માંગ કરી છે. આ સાથે પત્રમાં તેમણે કહ્યું છે કે, સત્યતા બહાર લાવવા માટે હું પોતે નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર છું, તેમજ આ કેસ સાથે જોડાયેલા અન્ય 2-4 વ્યક્તિના પણ નાર્કો ટેસ્ટ થવા જોઈએ.

દિલીપ સંઘાણીએ પત્રમાં લખ્યું કે, ‘મારું અને ભાજપના અન્ય નેતાઓનું નામ લેવા આરોપીઓને દબાણ કરાયું હતું. પોલીસના ઉચ્ચ અધિકારીઓ અથવા રાજકીય આગેવાનો દ્વારા આ પ્રવૃત્તિ કરાયાની આશંકા છે. સમગ્ર બાબતે હું નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર છું. આ કેસમાં કહેવાતા સાચા કે ખોટા પત્ર સાથે મારે કોઈ લેવા દેવા નથી. આ બાબતે સત્યતા બહાર લાવવા મારે હું પોતે નાર્કો ટેસ્ટ કરવા તૈયાર છું, તેમજ ફરિયાદી અને આ કેસ સાથે જોડાયેલા અન્ય 2-4 વ્યક્તિના પણ નાર્કો ટેસ્ટ થવા જોઈએ. જેથી વાસ્તવિક હકીકત સુધી પહોંચવામાં સરળતા રહે.’

આ ઉપરાંત સત્યતા બહાર લાવવા માટે તેમણે કહ્યું ‘સરકાર પોલીસની ગેરકાયદેસર મહિલાની રાત્રે કરેલ ધરપકડ છાવરે છે, તે હકીકત ખોટી છે. સરકાર સત્ય બહાર લાવવા તમામ પ્રકારની કાનૂની કાર્યવાહી કરાવી રહે છે, તે હકીકતની લોકોને પ્રતીતિ કરાવવી જરૂરી છે. જે ગંભીરતાને જોતાં આ કેસની તપાસ હાઇકોર્ટના સીટિંગ અથવા નિવૃત્ત જજ દ્વારા તપાસ કરવામાં આવે તેવી મારી માંગણી છે.’

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular