Friday, May 16, 2025
Google search engine
HomeNewsGujaratઅસારવામાં દીવાલ ધરાશાયી થતાં બેનાં મોત, ત્રણ ઘાયલ

અસારવામાં દીવાલ ધરાશાયી થતાં બેનાં મોત, ત્રણ ઘાયલ

અમદાવાદ: અસારવા વિસ્તારના રેલવે યાર્ડ પાસે મોટી દુર્ઘટના બની છે. અસારવા વિસ્તારના રેલવે યાર્ડની દીવાલ ધરાશાયી થઈ છે. હાલ આ દુર્ઘટનામાં બે લોકોનાં મોત અને ત્રણ લોકો ઘાયલ થયા છે.   જ્યારે ઘાયલ લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

અસારવા વિસ્તારમાં દિવાલ ધરાશાયી

અમદાવાદના અસારવા વિસ્તારમાં જૂની જર્જરિત દીવાલ ધરાશાયી થતાં દોડધામ મચી ગઈ હતી. દાદા હરી વાવ નજીક રેલવે યાર્ડની દીવાલ તૂટી પડી હતી. દીવાલનો કાટમાળ લોકો પર પડતાં પાંચ જણ દબાયા હતા, જેમાંથી બે લોકોનાં મોત થયાં છે, જ્યારે ત્રણ લોકોને ગંભીર ઇજા થતાં ત્રણેયને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે. સૂત્રોની માહિતી પ્રમાણે માનસી જાટવ અને સિદ્દીક પઠાણનાં મોત થયાં છે. આ દુર્ઘટનામાં એક મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગ્રેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ દીવાલ ધરાશાયી થવાને કારણે કાર, રિક્ષા, ટૂવ્હીલર જેવા વાહનને પણ ભારે નુકસાન થયું છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular