Saturday, May 24, 2025
Google search engine
HomeNewsGujaratવિરપુર: જલારામ મંદિરના ગાદીપતિના કાકી સુશીલાબેનનું નિધન

વિરપુર: જલારામ મંદિરના ગાદીપતિના કાકી સુશીલાબેનનું નિધન

રાજકોટ: પ્રસિધ્ધ યાત્રાધામ વિરપુર જલારામ મંદિરના ગાદિપતિ પૂ. રઘુરામ બાપાના કાકી સુશીલાબેન નટવરલાલ (બટુકબાપા) ચાંદ્રાણી 88 વર્ષની ઉંમરે રામચરણ પામ્યા છે. ત્યારે આ દુખની ઘટનાથી પૂજ્ય બાપાના પરિવારજનોમાં અને વીરપુર ગામમાં દુખની લાગણી પ્રસરી છે. વીરપુર ગામના લોકોએ સ્વયંભૂ બંધ પાડ્યું હતું. આજે જ્યારે સુશીલાબેનની અંતિમ યાત્રા નીકળી ત્યારે ગામજનોમાં ઘેરો શોક છવાયો હતો.

15 જૂનથી ખુલશે મંદિર

યાત્રાધામ વીરપુર જલારામ મંદિરના ભક્તોએ હજુ દર્શન માટે રાહ જોવી પડશે. જલારામ મંદિર 15 જુને ખુલશે. સરકારની ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે. જલારામબાપાના દર્શન કરવા માટે સવારે 7થી બપોરના 1 વાગ્યા સુધી અને બપોર બાદ 3 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધીનો સમય રહેશે. સોશિયલ ડિસ્ટન્સ અને સેનિટાઇઝની વ્યવસ્થા કરવામાં આવશે. મંદિરમાં 10 વર્ષથી નીચેના અને 60 વર્ષથી ઉપરના લોકોને પ્રવેશ મળી શકશે નહીં.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular