Wednesday, June 11, 2025
Google search engine
HomeNewsGujaratખેડૂતો પર વરસી આકાશી આફત, કયા જિલ્લામાં કેટલો વરસાદ

ખેડૂતો પર વરસી આકાશી આફત, કયા જિલ્લામાં કેટલો વરસાદ

રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આગાહી કરવામાં આવી હતી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સહિત હવામાન વિભાગ દ્વારા પણ વાતાવરણ પલટો આવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. નિષ્ણાતોની આગાહી પગલે રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ નોંધવામાં આવ્યો હતો. વહેલી સાવરે છોટાઉદેપુર, ખેડા, નવસારી, આણંદ અને ભાવનગરમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ભાવનગર શહેરના ચિત્રા, બોર તળાવ, કુંભારવાડા, દેસાઈ નગર, રાજનગર સહિતના વિસ્તારમાં પણ વહેલી સવારે વાદળછાયા વાતાવરણ બાદ વરસાદી ઝાપટું વરસ્યું. વરસાદી ઝાપટાએ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે.

તો બીજી બાજુ દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, ખેડા, નવસારી, આણંદમાં કમોસમી વરસાદના ઝાપટા જોવા મળ્યા. હવામાનમાં પલટો આવતાં રાજ્યના અનેક જિલ્લામાં ઠંડી ફેલાઈ ગઈ હતી. સમગ્ર જિલ્લામાં જ સવારથી વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદના કારણે શાકભાજીના પાકને નુકસાન થવાની સંભાવના છે. આ સિવાય નવસારીમાં ખેરગામ વાંસદા નવસારી અને જલાલપોર તાલુકામાં વરસાદી દ્રશ્યો જોવા મળ્યા હતા. દાહોદમાં પણ વહેલી સવારે કમોસમી વરસાદી ઝાપટું પડ્યું હતું.

તો આ સાથે વહેલી સવારથી રાજ્યના અનેક જિલ્લામાં વરસાદી ઝાપટા પડવાથી ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચવાની સંભાવના છે. આ ઉપરાંત કેરીના પાકને પણ ભારે નુકસાન પહોંચા સંભાવના છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular