Friday, June 27, 2025
Google search engine
HomeNewsGujaratવડોદરાના રેલવે સ્ટેશનથી મળ્યો બિનવારસી નસીલો પદાર્થ

વડોદરાના રેલવે સ્ટેશનથી મળ્યો બિનવારસી નસીલો પદાર્થ

રાજ્યમાં ફરી એક વખત બિન વારસી નશીલા પદાર્થ મળવાની ઘટના પ્રકાશમાં આવી છે. સંસ્કારી નગરી ગણાતા વડોદારામાં રેલવે સ્ટેશનમાંથી એક બેમાં બિન વારસી ગાંજાનો જથ્થો મળી આવ્યો છે. વડોદરાના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-2 પરના રેલવે પોલ નંબર 10 પાસે એક ગ્રે કલરની બિનવારસી ટ્રોલી બેગ મળતા પ્લેટફોર્મના કૂલી દ્વારા આ બેગ રેલવે સ્ટેશન સુપ્રીટેન્ડેન્ટને સુપરત કરવામાં આવી હતી. બેગ સુપ્રીટેન્ડેન્ટને હવાલે મળતાની સાથે જ સ્ટેશન સુપ્રીટેન્ડેન્ટ દ્વારા વારંવાર એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું કે કોઈ પેસેન્જર બેગ ભૂલી ગયું હોય અથવા ચોરી થઈ હોય તો તેઓ ઓફિસનો સંપર્ક કરે.

વડોદરાના રેલવે સ્ટેશન પર મળલી આ બેગના માલીકની લાંબો સમય સુધી રાહ જોયા બાદ, જ્યારે કોઈ પણ આ બેગને લેવા માટે ન આવ્યું ત્યારે સ્ટેશન સુપ્રિટેન્ડેન્ટે આ બેગને પોલીસના હવાલે કરી હતી. જે બાદ બેગની પોલીસ તાપસ હાથ ધરી હતી. પોલીસે સ્કેનર દ્વારા બેગમાં ચેક કરતા અંદર સેલોટેપ મારેલા પેકેટો જણાયા હતા. ત્યારબાદ જરૂરી કાર્યવાહી હાથ ધરી બેગ ખોલતા અંદરથી છ પેકેટો મળ્યા હતા. આ પેકેટો ખોલતા જ વનસ્પતિ જન્ય નસીલો પદાર્થ મળ્યો હતો. જે ગાંજો હોવાનો એફએસએલ દ્વારા નક્કી થયું હતું. પોલીસે 1.21 લાખ કિંમતનો 12 કિલો 130 ગ્રામ ગાજાનો જથ્થો કબજે કરી તેને કોણ મૂકી ગયું છે તે દિશામાં તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ ગુજરાતના દરિયા કિનારેથી બિનવારસી નસીલા પદાર્થ મળવાની ઘટના સામે આવી છે. જેમાં દ્વારાકા અને પોરબંદર જેવા શહેરોની આસપાસના દરિયા કિનારેથી મોટી માત્રામાં બિનવારસી નસીલો પદાર્થ મળી આવ્યો છે. જેને લઈ પોલીસ સહિત ATS તપાસ કરી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular