Sunday, May 18, 2025
Google search engine
HomeNewsGujaratપોરબંદરથી મળ્યું બિનવારસી ચરસ..

પોરબંદરથી મળ્યું બિનવારસી ચરસ..

ગુજરાતનો દરિયાકાંઠા પરથી નસીલા પદાર્થની હેરા ફેરીનો સીલસીલો યથાવત્ જોવા મળી રહ્યો છે. પાછલા થોડા દિવસોમાં દ્વારકા અને પોરબંદર જિલ્લાનો દરિયાકાંઠો નસીલા પદાર્થની હેરાફેરીનું એપી સેન્ટર બન્યું હોય.

રાજ્યના દરિયાકાંઠે બિનવારસી નસીલા પેકેટ મળી આવવાનો સીલસીલો યથાવત્ જોવા મળી રહ્યો છે. આ અગાઉ દ્વારકા જિલ્લાના દરિયાકાંઠેથી બે વખત નસીલા પદાર્થોના બીનવારસી પેકેટ મળ્યા હતા. જે બાદ આજે ફરી એક વખતા બિનવારસી નસીલા પદાર્થના પેકેટ પોરબંદર જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાંથી મળી આવ્યા છે. દ્વારકાના દરિયા કિનારે છેલ્લા એક સપ્તાહ દરમિયાન 123 કિલોનું 61.83 કરોડ ડ્રગ્સ સર્ચ ઓપરેશન દરમિયાન મળી આવ્યું હતું.

પોરબંદરના ઓડદર દરિયા કિનારે બિનવારસી ચરસના પેકેટો મળી આવ્યા છે. પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. દ્વારકાની જેમ પોરબંદરના દરિયા કિનારે બિનવારસી ચરસના પેકેટો મળી આવ્યા છે. એક એક કિલોના પેકેટ હોવાનું અનુમાન છે. દ્વારકાની જેમ પોરબંદરના દરિયા કિનારે પણ બિનવાસી હાલતમાં ચરસના પેકટો મળ્યા છે. નસીલા પદાર્થી જાણકારી મળતાની સાથે પોરબંદર SOG વિભાગનો સમગ્ર સ્ટાફ દોડતો થયો. પોરબંદરના મિયાણીથી લઇ અને માધવપુર સુધીના દરિયા કિનારે પોલીસ દ્વારા ડોગ સ્કવોડની મદદથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ભુતકાળમાં પણ પોરબંદરના દરિયા કિનારેથી નશીલા પદાર્થના પેકેટ મળી આવ્યા હતા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular