Monday, June 16, 2025
Google search engine
HomeNewsGujaratસોનલ અંબાણીના ‘Transcendental Time’ એક્ઝિબિશનમાં કળાજગતની હસ્તીઓની ઉપસ્થિતિ

સોનલ અંબાણીના ‘Transcendental Time’ એક્ઝિબિશનમાં કળાજગતની હસ્તીઓની ઉપસ્થિતિ

અમદાવાદ – જાણીતાં શિલ્પકાર સોનલ અંબાણીની શિલ્પ કૃતિઓનું Solo એક્ઝિબિશન કોલકાતાના ‘કોલકાતા સેન્ટર ફોર ક્રીએટિવિટી’ ખાતે ચાલી રહ્યું છે. આ પ્રદર્શનને ‘ટ્રેન્સેન્ડેન્ટલ ટાઈમ, એન આર્ટ એક્સપીરિયન્સ’ નામ આપવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં કળા જગતનાં મહારથીઓએ હાજરી આપીને સોનલની કૃતિઓની સરાહના કરી હતી.

સોનલ અંબાણી બોઝ ક્રિષ્નામાચારી સાથે

આ પ્રદર્શનમાં હાજરી આપનાર જાણીતી હસ્તીઓમાં સેફ્રોનઆર્ટના સીઈઓ અને સહ-સ્થાપક દિનેશ વઝિરાની, ગુજરાલ ફાઉન્ડેશનના સ્થાપક અને આર્ટિસ્ટિક ડાયરેક્ટર ફિરોઝ ગુજરાલ, કોચી બિએનેલ ફાઉન્ડેશનના પ્રેસિડન્ટ બોઝ ક્રિષ્નામાચારીસ, લિસન ગેલરી, લંડનનાં એસોસિએટ ડાયરેક્ટર એલી હેરિસન, ઈમામી આર્ટનાં સીઈઓ અને KCCનાં ડાયરેક્ટર રિચા અગ્રવાલ, ધ ક્યૂરેટોરિયલ લેબના ડાયરેક્ટર એરિક ચેન, માધવેન્દ્ર પેલેસ ખાતેના ધ સ્કલ્પ્ચર પાર્કનાં ડાયરેક્ટર નોએલ કાદર, અભિક્રમનાં સ્થાપક પારુલ ઝવેરી, ફ્લિન્ટ કલ્ચરના સ્થાપક વોલ બોલ્સ્ટન વગેરેનો સમાવેશ થાય છે.

‘ટ્રેન્સેન્ડેન્ટલ ટાઈમ’ પ્રદર્શન સતત વ્યગ્ર કરતા આ જગતમાં આત્મવિનવણીનું એટલે કે આપણે આપણી વ્યગ્રતાને દૂર રાખીને સ્વયંને જીવંત કેવી રીતે રાખવા તે વિશેનું છે. આપણને જે અનુભવ મળે છે એ કોઈ સ્મરણ કે સ્મૃતિ તરીકે નહીં, પરંતુ એક પ્રેરકબળ તરીકે હોય છે જે આપણા મનને સંપૂર્ણપણે જાગ્રત રાખે છે. વર્તમાન કાળને સ્વીકારો તથા મનની શુદ્ધતાની સુંદરતાને મહત્ત્વ આપો એ તેનો સંદેશ છે.

‘ટ્રેન્સેન્ડેન્ટલ ટાઈમ’ એક્ઝિબિશન 25 માર્ચ, 2020 સુધી ચાલવાનું છે.

આ શો ‘ઈન્ડિયા આર્ટ ફેર 2020 પેરેલલ પ્રોગ્રામ’નો એક હિસ્સો પણ છે.

સોનલ અંબાણી દિનેશ વઝિરાની સાથે
સોનલ અંબાણી એલી હેરિસન સાથે
સોનલ અંબાણી ફિરોઝ ગુજરાલ સાથે
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular