Wednesday, June 11, 2025
Google search engine
HomeNewsGujaratઅમદાવાદમાં દિવસ દરમિયાન નહીં નડે ખાનગી લકઝરી બસનો ત્રાસ

અમદાવાદમાં દિવસ દરમિયાન નહીં નડે ખાનગી લકઝરી બસનો ત્રાસ

અમદાવાદ: શહેરમાં ખાનગી બસના પ્રવેશના વિવાદ મામલે સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો હતો. મળતી માહિતી અનુસાર ખાનગી બસના પ્રવેશના વિવાદ મુદ્દે સુપ્રીમ કોર્ટ મોટો ચુકાદો આપ્યો હતો. ખાનગી લકઝરી બસના સંચાલકોને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો. સુપ્રીમ કોર્ટે લકઝરી સંચાલકોની અરજી ફગાવી દીધી હતી. કોર્ટે સવારના આઠ વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી ખાનગી બસ કે લક્ઝરીને પ્રવેશ નહીં હોવાનો નિર્ણય આપ્યો છે.

સુપ્રીમ કોર્ટના નિર્ણયથી હવે શહેરમાં સવારના 8 વાગ્યાથી રાત્રીના 10 વાગ્યા સુધી ખાનગી લકઝરી બસો પ્રવેશ કરી શકશે નહીં. અગાઉ ગુજરાત હાઇકોર્ટે ખાનગી લકઝરી બસોને શહેરમાં ચોક્કસ સમય સુધી પ્રવેશબંધી ફરમાવી હતી. સિંગલ જજના નિર્ણયને હાઈકોર્ટની ખંડપીઠે પણ નિર્ણય યથાવત રાખ્યો હતો. અગાઉ ખાનગી લકઝરી સંચાલકોની અપીલને હાઇકોર્ટની ખંડપીઠે ફગાવી હતી. 2004માં 18 રૂટ પર 24 કલાકની મંજૂરી અપાઈ હતી, એ રૂટ પર મંજૂરી ચાલુ રાખવાની રજૂઆતને હાઇકોર્ટે ફગાવી હતી. જેમાં કોર્ટે ટાંક્યુ હતુ કે, જે લોકો લક્ઝરી સુવિધાનો ઉપયોગ કરવા માંગે છે, તેમના માટે વ્યવસ્થા કરવાની જવાબદારી સંચાલકોની છે. સામાન્ય નાગરિકો માટેના પબ્લિક ટ્રાન્સપોર્ટ અને પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટને એક સમાન રીતે જોઈ શકાય નહીં, તેવું હાઇકોર્ટનું અવલોકન હતું. સાથે વૈકલ્પિક રૂટ આપવાની સંચાલકોની રજૂઆતપણ કોર્ટે ફગાવી હતી. ધંધા રોજગારના અધિકાર અને RTOના નિયમોને ટાંકીને ખાનગી ટ્રાવેલ એજન્સીઓએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular