Wednesday, May 14, 2025
Google search engine
HomeNewsGujaratપુંસરી ગામને નમૂનેદાર બનાવનાર આ સરપંચને રાષ્ટ્રપતિનું નિમંત્રણ

પુંસરી ગામને નમૂનેદાર બનાવનાર આ સરપંચને રાષ્ટ્રપતિનું નિમંત્રણ

અમદાવાદઃ પુંસરી ગામના માજી સરપંચને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોતાના રાષ્ટ્રપતિ ભવનમાં આમંત્રણ આપ્યું છે. પુંસરી ગામના માજી સરપંચ હિમાંશુ પટેલે પુંસરી ગામને દેશ અને દુનિયાના ફલક પર વિકાસ મોડલ મૂકનાર અને અત્યારે દેશભરના ગામડાઓના યુવાન સરપંચોને એક તાંતણે બાંધીને ગ્રામ વિકાસ માટેની વાત મૂકી માર્ગદર્શન પુરુ પાડ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમની કામગીરીની નોંધ લઈને તેમને રાષ્ટ્રપતિ ભવનમાં મળવા માટે બોલાવ્યા છે.

હિમાંશુ પટેલ પુંસરી ગામના સરપંચ તરીકે દસ વર્ષ સુધી રહ્યા છે. ‘આત્મા ગામડાનો અને વિકાસ શહેર’ ના ગાંધીજીના સ્વપ્નને આધારે પુંસરી ગામનો વિકાસ કર્યો છે. પુંસરી ગામમાં ૨ લાખ દેશ-વિદેશના મુલાકાતીઓ આવી ચૂક્યા છે. કેન્યા, તુર્કી, જર્મન, ફ્રાંસ સહિતના ૬૦ દેશોના પ્રતિનિધિઓ પુંસરી આવી ચૂક્યા છે. ગામમાં રોડ રસ્તા પાણી વીજળી આરોગ્ય શિક્ષણ નોંધપાત્ર કામગીરીની ભારતના રાષ્ટ્રપતિએ હકારાત્મક નોંધ લીધી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular